એપશહેર

ખેડૂત આંદોલનઃ પોલીસે દિલ્હી બોર્ડરે કોન્ક્રીટની દિવાલ બનાવી, રોડ પર ખિલ્લા લગાવ્યા

I am Gujarat 2 Feb 2021, 8:55 am
દિલ્હીની સરહદે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેના કારણે દિલ્હી પોલીસે ત્યાં ખડેપગ છે. ગાજીપુર બોર્ડરે ખેડૂતોને રોકવા માટે દિલ્હી પોલીસ તરફથી કરાયેલી અસ્થાયી વ્યવસ્થા અપૂરતી રહી હતી, પરંતુ હવે ખેડૂતોને રોકવા માટે તેમણે મજબૂત વ્યવસ્થા કરી છે. જેમાં રસ્તા પર ક્રેન્સ ઊભી રાખવી બેરિકેડ્સની ઉપર કાંટાળા તાર અને રસ્તા પર કાયમી બેરિકેડ તથા ખિલ્લા લગાવવાનું સામેલ છે.
I am Gujarat delhi


હકીકતમાં રસ્તા પર કાયમી બેરિકેડ બનાવવાનું મુખ્ય કારણ ખેડૂતોને દિલ્હીની સરહદમાં પ્રવેશતા રોકવાનું છે. આ બેરિકેડ હકીકતમાં કોન્ક્રીટની દિવાલ છે. તેને સરળતાથી હટાવવા અશક્ય છે. અને જો કોઈ તેને ક્રોસ કરવા ઈચ્છે તો દિવાલનો તોડવી પડશે. આ બૈરિકેડ્સ પર કાંટાળા તાર લગાવાયા છે, જેથી તેની ઉપરથી કોઈ કૂદી ન શકે. હવે ગાજીપુર બોર્ડર સંપૂર્ણ રીતે બંધ થઈ ચૂકી છે. નેશનલ હાઈવે અને નેશનલ હાઈવે 9થી હવે કોઈ વાહન દિલ્હીની સરહદમાં પ્રવેશી નહીં શકે.

સિંધુ બોર્ડરે સીમેન્ટના અવરોધોમાં લોખંડના ખિલ્લા લગાવાયા
ખેડૂત પ્રદર્શનના મુખ્ય સ્થળ સિંધુ બોર્ડર પર પોલીસકર્મીઓના નિરીક્ષણમાં શ્રમિક રસ્તા પર સીમેન્ટ પાથરીને લોખંડના ખિલ્લા લગાવતા દેખાયા જેથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને દિલ્હીમાં પ્રવેશતા રોકી શકાય.

એવામાં સોમવારે દિલ્હી અને ગાઝિયાબાદ વચ્ચે આવ-જા કરનારા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ટ્રાફિક ડાયવર્ઝનના કારણે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો. લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી જવા માટે કલાકોનો સમય લાગ્યો.

26મી જાન્યુઆરીએ હિંસાની જે ઘટના બની હતી, તેને ફરીથી બનતી અટકાવવા માટે ખેડૂતોને સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડરે રાખવા પોલીસ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારે કેટલાક ફોટો વાઈરલ થયા હતા, જેમાં પોલસકર્મી બખ્તર કેવા ગાર્ડ પહેરેલા જોવા મળ્યા હતા. પ્રજાસત્તાક દિવસે હિંસાની ઘટના બાદ ટ્રાયલ તરીકે 500થી પોલીસકર્મીને ઈજાઓ પહોંચી હતી, એવામાં તેમની સુરક્ષા માટે આ બખ્તર અપાયા છે.

Read Next Story