એપશહેર

દિલ્હી યુનિ.ના વાઈસ ચાન્સેલરને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આદેશથી દિલ્હી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર યોગેશ ત્યાગીને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમના પર ફરજ પાલનમાં બેદરકારીનો આરોપ છે.

Agencies 28 Oct 2020, 6:44 pm
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આદેશ પર દિલ્હી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર યોગેશ ત્યાગીને બુધવારે સસ્પેન્ડ કરી દેવાયા છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ મુજબ, રાષ્ટ્રપતિએ ત્યાગી પર લાગેલા ફરજ પાલનમાં બેદરકારીના આરોપોની તપાસનો પણ નિર્દેશ આપ્યો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે આ કેન્દ્રીય યુનિવર્સિટીમાં સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે.
I am Gujarat DU VC Yogesh Tyagi


મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ત્યાગી પર લાગેલા આરોપોની નિષ્પક્ષ તપાસ થઈ શકે તે માટે યુનિવર્સિટીના વિઝિટર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. જેથી તેઓ પુરાવા સાથે છેડછાડ કે સાક્ષીઓને પ્રભાવિત ન કરી શકે.

અધિકારીએ જણાવ્યું કે, 'મેડિકલ ગ્રાઉન્ડ પર રજા પર ઉતરી ગયેલા યોગેશ ત્યાગી તરપથી આ ગળા દરમિયાન અપાયેલા બધા આદેશો કે તેમની મંજૂરીથી અપાયેલા આદેશ રદ કરી દેવાયા છે. આ આદેશનો શૂન્ય માનવામાં આવશે.' ત્યાગી 2 જુલાઈએ એમ્સમાં એડમિટ કરાયા ત્યારથી રજા પર છે. સરકારે 17 જુલાઈએ પ્રો-વીસી પીસી જોશીને ત્યાં સુધી વાઈસ ચાન્સેલરનો ચાર્જ આપ્યો હતો, જ્યાં સુધી ત્યાગી રજા પરથી પાછા ન આવે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો