એપશહેર

કેરળમાં અદાણી પોર્ટના વિરોધમાં પ્રદર્શન, પોલીસ સ્ટેશન પર હુમલો, 29 પોલીસકર્મી ઘાયલ

કેરળના અદાણી પોર્ટ પ્રોજેક્ટને લઈ વિરોધ પ્રદર્શન થતા પ્રદર્શનકર્તાઓના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. ત્યારબાદ મોડી રાત્રે લોકોએ વિઝીંજમ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 29 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. હકીકતમાં અદાણી ગ્રુપ અહીં વિઝીંજમ પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે. જેનો કેટલાક લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 28 Nov 2022, 9:19 pm
તિરુવનંતપુરમઃ અદાણી ગ્રુપ દ્વારા વિઝીંજમ પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે. જેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા લોકોના સમૂહે રવિવારે પોર્ટ પર નિર્માણ સામગ્રી લઈ જઈ રહેલા વાહનોને અટકાવ્યા હતા. તે સમયે અહીં ઝપાઝપી થઈ હતી. પોલીસનું કહેવું છે કે પોર્ટ પ્રોજેક્ટના એક જૂથ આ પોર્ટના સમર્થનમાં આવી ગયું હતું, જ્યારે અન્ય એક જૂથ તેનો વિરોધ કરી રહ્યું હતું. તેને પગલે બે જૂથો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
I am Gujarat Adani
કેરળમાં અદાણી પોર્ટનો વિરોધ કરી કેટલાક પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી


પોલીસે કહ્યું કે તેમણે આર્ક બિશપ થોમસ, જે નેટ્ટો, સહાયક બિશપ ક્રિસ્ટુરાજ તથા અન્ય પાદરિયો સામે ષડયંત્ર, હિંસા માટે ઉષ્કેરવાનો અને હત્યાના પ્રયાસ જેવા વિવિધ આરોપોને લઈ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે પોર્ટ પ્રોજેક્ટનું સમર્થન કરી રહેલા પ્રદર્શનકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે એવી પણ માહિતી મળી છે કે લેટિન કેથોલિક ચર્ચના નેતૃત્વમાં આ ભીડે રવિવારે રાત્રે વિઝીંજમ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 29 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા અને પોલીસ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

અદાણી પોર્ટ સામે પ્રદર્શન સમયે બે જૂથ વચ્ચે અથડામણ

કેરળમાં અદાણી પોર્ટ પ્રોજેક્ટની સામે પ્રદર્શન સમયે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કરતા જૂથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 29 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

હુમલામાં 29 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત વાહનોને નુકસાન
પોલીસે કહ્યુ કે તેણે આર્ક બિશપ, જે નેટ્ટો, સહાયક બિશપ ક્રિસ્ટુરાજ અને અન્ય પાદરીયો સામે વિરોધ, હિંસા માટે ઉશ્કેરણી કરવા તથા હત્યાના પ્રયત્ન જેવા વિવિધ આરોપોની બાબતમાં કેસ દાખલ કરવામાં આવેલ છે. પોલીસે જણાવ્યું કે પોર્ટ પ્રોજેક્ટનું સમર્થન કરી રહેલા વિરોધ પ્રદર્શનકારીઓ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ભીડ લેટિન કેથોલિક ચર્ચના નેતૃત્વમાં ભીડ એકત્રિત કર્યાં હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો