એપશહેર

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીશ સિસોદિયાની તબીયત બગડી, કોરોના બાદ હવે થયો ડેંગ્યુ

ડેંગ્યુના કારણે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના બ્લડ પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યા છે

I am Gujarat 24 Sep 2020, 9:43 pm
નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ડેંગ્યુ પણ થઈ ગયો છે. જેના કારણે તેમના બ્લડ પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યા છે. તાવ અને ઓછા ઓક્સિજનની ફરિયાદ બાદ ગુરૂવારે તેમને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
I am Gujarat manish sidodia


અગાઉ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવી રહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાલત સ્થિર છે અને આગામી થોડા દિવસમાં ચેપને લઈને ફરીથી તેમનો ટેસ્ટ કરવામાં આવશે.

કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ મનીષ સિસોદિયાને ડેંગ્યુ થઈ ગયો છે. નોંધનીય છે કે કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ સિસોદિયા ઘરે જ આઈસોલેશનમાં હતા. ત્યારબાદ તેમને બુધવારે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

કોરોનાના ચેપના કારણે સિસોદિયા 14 સપ્ટેમ્બરે દિલ્હી વિધાનસભાના એક દિવસીય સત્રમાં ભાગ લઈ શક્યા ન હતા. સિસોદિયા પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને પણ કોરોના થયો હતો. જૈનને જૂનમાં કોરોના થયો હતો અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો