એપશહેર

દેશમાં નોંધાયેલા કોરોનાના નવા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા મોટી

ભારતમાં આ રીતે કોરોનાના કેસ ઘટડા રહ્યા તો નજીકના સમયમાં કોરોનાથી મુક્તિ મળી શકે છે

Agencies 26 Dec 2020, 12:18 pm
નવી દિલ્હીઃ કોરોના વાયરસના અપડેટ પર નજર કરીએ તો ભારત માટે રાહતની વાત એ છે કે, સતત 5મા દિવસે 3 લાખ કરતા ઓછા રહ્યા છે. આ સાથે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે દેશમાં 23,000 કરતા પણ ઓછા કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય એક મહત્વની વાત એ છે કે દેશમાં નોંધાયેલા નવા કેસ કરતા સાજા થયેલા દર્દીઓનો આંકડો એકદમ સામાન્ય પણ વધુ મોટો રહ્યો છે.
I am Gujarat discharged number is bigger then 22272 new cases logs in 24 hours in india
દેશમાં નોંધાયેલા કોરોનાના નવા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા મોટી


શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 22,272 કેસ નોંધાયા છે, આ સાથે કુલ કેસનો આંકડો 1,01,69,118 થઈ ગયો છે. આ સાથે જોવા મળી રહ્યું છે કે, દેશમાં કોરોના વાયરસના નવા નોંધાઈ રહેલા આંકડામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવેમ્બર દરમિયાન જે ઉછાળો આવ્યો હતો તે પછી વિવિધ રાજ્યો દ્વારા જરુરિયાત પ્રમાણેના પગલા ભરવામાં આવ્યા છે.

આ સાથે દેશમાં એક દિવસમાં કોરોનાથી વધુ 251 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, જેની સાથે કુલ મૃતકોનો આંકડો 1,47,343 પર પહોંચ્યો છે, હાલ દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 2,81,667 પર પહોંચ્યો છે, દેશમાં પાછલા 24 કલાકમાં 22,274 લોકોએ કોરોનાને હરાવ્યો છે. એટલે કે નવા નોંધાયેલા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા પ્રમાણે ભારતમાં 25 ડિસેમ્બર સુધીમાં 16,71,59,289 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં શુક્રવારે 8,53,527 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો