એપશહેર

શું તમે ક્યારેય વિચાર્યું કે, રાતે ઘરની બહાર કુતરા કેમ રડતા રહે છે?

એવું પણ માનવામાં આવે છે કે, જ્યારે તેમની આસપાસ કોઈ આત્મા હોય છે. એટલે કે એવી આત્મા જેને સામાન્ય લોકો ન જોઈ શકે. તેને જોઈને કૂતરા રડવા લાગે છે.

I am Gujarat 25 Aug 2020, 9:51 pm
આપણા સમાજમાં પ્રાચીન કાળથી જ અનેક માન્યતાઓ ચાલી આવે છે. આ માન્યતાઓ એવી છે કે, જે માત્ર માનવામાં જ આવે છે. તેની પાછળ કોઈ સ્ટોરી અથવા તો તર્ક શોધવા જાઓ તો પણ મળતો નથી. એવી પણ એક માન્યતા છે કે, કૂતરા જ્યારે રડે તો તે અપશુકન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જો કૂતરો રડે તો આવતા સમયમાં કોઈનું મોત થઈ શકે છે. હવે આવી વાત સાંભળીને કોઈપણ ડરી જાય.
I am Gujarat do you know why dogs cry at night theories behind dogs howl
શું તમે ક્યારેય વિચાર્યું કે, રાતે ઘરની બહાર કુતરા કેમ રડતા રહે છે?


જ્યોતિષ કહે છે 'આત્મા'નો છે મામલો
આમ તો, જ્યોતિષિઓનું માનવું છે કે, કૂતરા સૌથી વધારે ત્યારે રડે છે, જ્યારે તેમની આસપાસ કોઈ આત્મા હોય છે. એટલે કે એવી આત્મા જેને સામાન્ય લોકો ન જોઈ શકે. તેને જોઈને કૂતરા રડવા લાગે છે. જેના કારણે પણ લોકો જ્યારે કૂતરું રડે ત્યારે તેને ભગાડવા જ લાગે છે.

વિજ્ઞાન અને એક્સપર્ટ્સ માને છે આ વાત
માન્યતાઓ અને જ્યોતિષિઓથી હવે આવીએ વિજ્ઞાન પર. પહેલી વાત તો એ છે કે, કૂતરા રડતા જ નથી. તે Howling કરે છે. એટલે કે રાતે તે આવા અવાજ નીકાળીને રસ્તા અથવા તો એવા વિસ્તારમાં પોતાના સાથીઓને મેસેજ પહોંચાડે છે. એવો મેસેજ પણ છે કે, તેઓ કઈ જગ્યા પર છે.

દર્દમાં સાથીઓને બોલાવવાની રીત
હવે કૂતરાઓ પણ એક જીવ જ છે ને! તો તેમને પણ ઈજા પહોંચે છે. દર્દ થાય છે. શારીરિક પરેશાની પણ થાય છે. આવી સ્થિતિમાં કૂતરા આ પ્રકારે રડવા જેવો અવાજ નીકાળે છે. આ રીતે તે દૂર રહેલા પોતાના સાથીઓને નજીક પહોંચાડે છે

એકલતા અનુભવે તો પણ કાઢે છે અવાજવ્યક્તિની જેમ કૂતરાઓને પણ એકલું રહેવાનું પસંદ નથી. જેથી જ્યારે પણ તેઓ એકલતા અનુભવે ત્યારે સાથીઓને બોલાવવા માટે પણ આ પ્રકારે અવાજ કાઢે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો