એપશહેર

રામ મંદિરની જેમ મસ્જિદના કાર્યક્રમમાં જશો? યોગીએ આપ્યો આવો જવાબ

કટ્ટર હિંદુવાદી નેતા તરીકે જાણીતા યુપીના સીએમે કહ્યું, આવી કોઈ દુવિધા ના હું મારા પક્ષે રાખું છું, કે ના તો તે લોકો રાખે છે.

Authored byNeha Lalchandani | TNN 7 Aug 2020, 3:00 pm
લખનઉ: બુધવારે રામ મંદિરનું ભૂમિ પૂજન થયાના કલાકો બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથને જ્યારે અયોધ્યામાં બનનારી મસ્જિદના આ જ પ્રકારના કાર્યક્રમમાં તેઓ જશે કે નહીં તેવો સવાલ કરાયો હતો. જોકે, યોગીએ આ સવાલને જ ઉડાવી દેતા સામો સવાલ કર્યો હતો કે તેમને તેના માટે આમંત્રણ અપાશે ખરું?
I am Gujarat yogi adityanath


યોગીએ સવાલ કરનારાને પૂછ્યું હતું કે, 'આપને શું લાગે છે? કોઈ મસ્જિદના શિલાન્યાસમાં મને બોલાવશે?' મને લાગે છે કે મારા માટે સંકટ નથી. સંકટ તો તેમના માટે છે. માટે જ આ દુવિધાને ના હું રાખું છું, ના તેઓ રાખે છે. માટે, બીજા કોઈએ પણ આવી દુવિધા ના રાખવી જોઈએ.

બાદમાં યોગીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સીએમ તરીકે તેઓ ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાય વચ્ચે ભેદ નથી કરતા. જોકે, એક યોગી અને હિન્દુ હોવાના નાતે તેઓ આવા કોઈ કાર્યક્રમમાં નહીં જાય, કારણકે તેમને પોતે જે ધર્મમાં માને છે તેની પરંપરા પાળવાનો હક્ક છે.

યોગીએ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો સ્વીકાર કરવા બદલ મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અન્સારીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકોએ ઈકબાલ અન્સારી પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેમણે પોતાની તમામ ક્ષમતા કેસ લડવામાં લગાવી દીધી, પરંતુ કોર્ટે જે ચુકાદો આપ્યો તે પણ સ્વીકારી લીધો.

તેમણે એવો સવાલ પણ કર્યો હતો કે, મુસ્લિમ હોવા છતાં તેઓ આ કેસ લડતી વખતે પણ અયોધ્યામાં જ પોતે સુરક્ષિત છે તેમ માનીને રહ્યા તે જ આપણી લોકશાહીની શક્તિ દર્શાવે છે. શું હિન્દુ આ જ રીતે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં રહેતો હિન્દુ કોઈ મંદિર માટે લડતો હોત તો તે પોતાને ત્યાં આટલું સુરક્ષિત મહેસૂસ કરત?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો