એપશહેર

કોરોનાઃ શું ભારત જીત તરફ અગ્રેસર થઈ રહ્યું છે? કેમ ધડાધડ વધી રહ્યો છે રિકવરી રેટ

દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. નેશનલ રિકવરી રેટ 89 ટકા પહોંચાવાની તૈયારીમાં છે તો કેટલાક રાજ્યોમાં આ 95 ટકા સુધી પહોંચી ગયો છે.

I am Gujarat 22 Oct 2020, 8:33 am
આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસ સામેની લડતમાં એક મહત્વપૂર્ણ તબક્કો વટાવી લીધો છે. બુધવારે રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી વધુ એક્ટિવ રેટ 95% જોવા મળ્યો હતો. તેની સાથે જ આંધ્રપ્રદેશ દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે જેને મે બાદ આ પ્રકારની સફળતા પોતાને નામ કરી છે. અગાઉ કેરળની સ્થિતિ પણ સારી થતી જોવા મળી હતી પરંતુ અચાનક કેસ ઝડપથી વધતા જતાં તે આંધ્રનો દરજ્જો પ્રાપ્ત કરવામાં ચૂકી ગયું.
I am Gujarat does corona stepping back in india as recovery rate is continuously increasing and reaching near at 90 percent
કોરોનાઃ શું ભારત જીત તરફ અગ્રેસર થઈ રહ્યું છે? કેમ ધડાધડ વધી રહ્યો છે રિકવરી રેટ


કયાંક-કયાંક 98% રિકવરી રેટ

મળતી માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 7.93 લાખ લોકો કોરોના ચેપથી પ્રભાવિત થયા છે. બુધવારે રાજ્યમાં 3,746 નવા સંક્રમણનાં કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાંથી 7.54 લાખ દર્દીઓને હોસ્પિટલમાંથી સાજા થઇને રજા આપી દેવામાં આવી છે. એટલે સુધી કે કુરનૂલ અને નેલ્લોરમાં પણ 98% સુધીનો રિકવરી રેટ પહોંચી ગયો છે. રાજ્યના દરેક જિલ્લામાં રિકવરી રેટ ઓછામાં ઓછો 90% રહ્યો.

આંધ્ર અનેક કારણોસર આગળ નીકળી ગયું

નિષ્ણાતોનું માનવું છે કે આ સફળતા પાછળ અનેક કારણો હોઈ શકે છે. તેમાં બીમારીને યોગ્ય રીતે મેનેજ કરવી, વ્યાપક સ્તર પર વધુ સટીક રીતે ટેસ્ટિંગ કરવા, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું, ઘરે-ઘરે જઇ સર્વે કરવો, કમ્યુનિટી સર્વિલન્સ કરવું અને સારવાર અને ઇન્ફ્રાસ્ટ્રકચરને શ્રેષ્ઠ કરવાનું સામેલ છે. જો કે સૌથી મોટી ભૂમિકા મોટા સ્તર પર ટેસ્ટિંગનું રહ્યું.

ટેસ્ટિંગની સૌથી મોટી ભૂમિકા

જુલાઈ મહિનામાં દરરોજ ઇન્ફેકશનની સંખ્યામાં વધારો થવા છતાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર પછી રાજ્યમાં ટેસ્ટિંગ પર પૂરો ભાર મૂકવામાં આવ્યો હતો અને દેશમાં સૌથી વધુ ટેસ્ટિંગ કરનારા રાજ્યોમાં આંધ્ર સામેલ થઇ ગયું. દેશમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, દિલ્હી, રાજસ્થાન અને છત્તીસગઢમાં કરાય છે. જો કે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ પોઝિટિવિટી રેટમાં વધારો કરવા છતાં 14 દિવસની અંદર થનાર ટેસ્ટિંગને ઘટાડી દીધા છે.

ખતરો હજુ ટળ્યો નથી

જો કે હજુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. એવી આશંકા છે કે રાજ્યમાં સંક્રમણની બીજી લહેર આવી શકે છે. વત એમ છે કે નવેમ્બરમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અને કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ કરવાનો પ્રસ્તાવ છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગ કેસ વધવાની સ્થિતિની તૈયારી કરી રહ્યું છે. ખાસ કરીને ત્યારે જ્યારે કૃષ્ણ જેવા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઇન્ફેકશનના કેસમાં વધારો જોવા મળ્યો છે. શિયાળાની સાથો સાથ તહેવારોની સિઝન આવતાની સાથે જ કોરોના ઇન્ફેકશનના વધુ કેસોમાં વધારો થવાની સંભાવના છે.

અમેરિકા બાદ સૌથી વધુ ટેસ્ટ ભારતમાં

આ અઠવાડિયે ભારતમાં 10 કરોડ ટેસ્ટ પૂરા કરી શકે છે. બુધવાર સુધીમાં દેશમાં 9.72 કરોડ ટેસ્ટ થઇ ચૂકયા છે. તેનાથી વધુ 12.7 કરોડ ટેસ્ટ અત્યાર સુધી માત્ર અમેરિકામાં જ કરાયા છે. દિલ્હીમાં દરરોજ 10 લાખ લોકો એ 2 લાખ ટેસ્ટ, આંધ્રમાં 1.37 લાખ, તામિલનાડુમાં 1.2 લાખ, કેરળમાં 1.14 લાખ, કર્ણાટકમાં એક લાખ, બિહારમાં 78,563, મહારાષ્ટ્રમાં 67,500, યુપીમાં 59,764, રાજસ્થાનમાં 45,611 અને પશ્ચિમ બંગાળમાં 42,088 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

Read Next Story