એપશહેર

ખુલાસોઃ ઉરી હુમલા બાદ જ કરાયો હતો 'બદલો' લેવાનો પ્રયાસ

I am Gujarat 30 Sep 2016, 3:06 pm
મનુ પબ્બી, નવી દિલ્હીઃ PoKમાં સર્જિકલ સ્ટ્રાઇકને ભારતીય સૈન્યના જવાનોએ સફળતાપૂર્વક અંજામ આપ્યો. ત્યારે હવે સુત્રો દ્વારા મળી રહેલી નવી જાણકારી અનુસાર સરકારની મંજૂરી બાદ સૈન્યએ ઉરી હુમલાના બીજા જ દિવેસ ક્રોસ બોર્ડર ઓપરેશનને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પણ અપેક્ષિત સફળતા મળી નહોતી. ત્યારે એવું માની શકાય કે 28-29 સપ્ટેમ્બર વચ્ચેની રાતે કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક ભારતીય સૈન્યનો બીજો પ્રયાસ હશે.
I am Gujarat does indian army tried to strike pakistan soon after uri attack
ખુલાસોઃ ઉરી હુમલા બાદ જ કરાયો હતો 'બદલો' લેવાનો પ્રયાસ



સુત્રો અનુસાર ઉરી હુમલા બાદ સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે આતંકવાદીઓને છોડવામાં નહીં આવે. આ માટેના કેટલાય પ્લાન્સ તૈયાર કરાયા હતા અને તેને અમલી જામો પહેરાવવા માટે અભ્યાસ પણ કરાયો હતો. જોકે, એક સપ્તાહ પહેલાઆ પ્રયાસમાં અપેક્ષિત સફળતા મળી નહોતી રહી. એ વખતે PoKના સુદુર વિસ્તારમાં આતંકવાદીઓના કેમ્પ્સસ પર હુમલો કરવાનો વિચાર કરાયો હતો. જોકે, બાદમા LoC પાર 1થી3 કિલોમીટર દૂર લોન્ચ પેડ્સ તબાહ કરવાનો નિર્ણય લેવાયો હતો.

અત્રે ખાસ નોંધવું રહ્યું કે ભારતીય સૈન્ય આ પહેલા પણ કેટલીય વખત LoC પાર કરીને દુશ્મનોને નુકસાન પહોંચાડી ચૂકી છે. અધિકારીઓ અને સૈન્ય કમાન્ડર જણાવે છે કે 2008, 2011 અને 2013 સહીત છેલ્લા કેટલાય વર્ષો દરમિયાન ભારતીય સૈન્યએ LoC પાર કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો