એપશહેર

વારાણસીના ઘાટ પર પેઢીઓથી દાહ સંસ્કારનું કામ કરતા 'ડોમ રાજા' બનશે મોદીના પ્રસ્તાવક

Mitesh Purohit | THE ECONOMIC TIMES 26 Apr 2019, 10:32 am
I am Gujarat dom raja form kashi jagdish chaudhary will become proposer of pm modi
વારાણસીના ઘાટ પર પેઢીઓથી દાહ સંસ્કારનું કામ કરતા 'ડોમ રાજા' બનશે મોદીના પ્રસ્તાવક


વારાણસીમાં ડોમ રાજા કરશે મોદીનું સમર્થન

અમન શર્મા, વારાણસીઃ વારાણસીમાં મૃતકોના દાહ સંસ્કાર કરવાળાઓના પ્રમુખ જગદીશ ચૌધરી શુક્રવારે અહીંથી ઉમેદવારી પત્રક ભરનાર વડાપ્રધાન મોદીના પ્રસ્તાવકો પૈકી એક હશે. ચૌધરીએ કહ્યું કે, ‘મોદી એવા પહેલા વડાપ્રધાન છે જેમણે આ વિસ્તારના નિર્ધન અને સામાજીક પછાત વર્ગના લોકો માટે ખરા અર્થમાં કંઈક કર્યું છે.’ હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પ્રિયંકા ગાંધી અહીંથી લડી હોત તો પણ જીતી શકી ન હોત

ચૌધરીને વારાણસીમાં ‘ડોમ રાજા’ કહેવામાં આવે છે. વડાપ્રધાનના પ્રસ્તાવકો પૈકી તે સૌથી મહત્વપૂર્ણ સ્થાનિક વ્યક્તિ હશે. ચૌધરી પોતાના પરિવાર સાથે વારાણસીના પ્રખ્યાત મણિકર્ણિકા ઘાટ પર જ રહે છે. અહીં આવેલ પોતાના ઘરે અમારા સહયોગી ઇકોનોમિક ટાઇમ્સ ને જણાવ્યું કે, ‘જો અહીંથી મોદીની વિરુદ્ધ પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરે તો પણ કોઈકાળે તેમના જીતવાની શક્યતા નથી.’

એક સમયે અખિલેશના કર્યા હતા વખાણ પણ હવે….

ચૌધરીએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીએ જે રીતે અહીં કાર્યો કર્યા છે તેને જોતા કોઈપણ નેતા તેમની આસપાસ પણ નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ વારાણસી છે- અહીં દિવસ રાત ઘાટની સફાઈ થતી જ રહે છે.’ 2017માં યોજાયેલ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ઇકોનોમિક ટાઇમ્સને આપેલા ઇન્ટર્વ્યુમાં તેમણે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને મોદી બંનેની પ્રશંસા કરી હતી. જોકે આ વખતે તેઓ સંપૂર્ણ રીતે મોદી સાથે ઉભા જોવા મળી રહ્યા છે.

મોદી સરકારે અમારા કામ કર્યા માટે અમે તેમની સાથે

તેમણે કહ્યું કે, ‘જે કામ કરે છે તેના ગુણગાન કરવામાં ખોટું શું છે, મોદીના કાર્યકાળમાં અનેક સુધાર થયા છે અને કલ્યાણ યોજનાઓના લાભ સીધા જ છેવાડાના લોકો સુધી પહોંચતા થયા છે.’ ચૌધરીનો પરિવાર પેઢી દર પેઢી મણિકર્ણિકા ઘાટપર મૃતદેહોના અગ્નિદાહ કરવાનું કામ કરે છે. તેમજ તેઓ ગાય પાલનનું કામ પણ કરે છે.

દાવો, ‘રેકોર્ડ બ્રેક લીડથી જીતશે મોદી’

ચૌધરીએ કહ્યું કે, ‘વારાણસીમાં મોદી સામે કોઈ ટકી શકશે નહીં અને મોદી અહીં રેકોર્ડબ્રેક માર્જીન સાથે આ વખતે જીતશે.’ તેમણે કહ્યું કે, ‘મોદીનો જાદૂ સમગ્ર શહેર પર છે અને તેમની વિરુદ્ધ કોઈ ઉમેદવારની શક્યતા ન બરોબર છે.’ મહત્વપૂર્ણ છે કે અનેક અટળકો અને સૂત્રો દ્વારા સંભળાતી ચર્ચા પછી પણ પ્રિયંકા ગાંધી અહીંથી ચૂંટણી નહીં લડે તેવું હવે સામે આવ્યું છે. જે અંગે જણાવતા ચૌધરીએ કહ્યું કે, ‘પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે જરુર એક ચહેરો હોઈ શકે છે પરંતુ વારાણસીમાં તેમના માટે લોઢાના ચણા જેવું સાબિત થાત.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો