એપશહેર

દશેરા: દેશમાં ઘણી જગ્યાએ કરાયું 'કોરોના'રૂપી રાવણનું પૂતળું, સાદગીથી ઉજવાઈ વિજયાદશમી

દેશભરમાં ખૂબ જ સાદગીથી વિજયાદશમીનું પર્વ ઉજવાયું. કોરોનાના કારણે આ વખતે તહેવારોની રોનક ઓછી રહી પરંતુ લોકોનો ઉત્સાહ ઘણો જોવા મળ્યો.

I am Gujarat 25 Oct 2020, 11:55 pm
નવી દિલ્હી: દશેરાના તહેવારને આ વખતે કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું, એટલે જ દેશભરમાં રવિવારે આ પર્વ ઘણી સાદગીથી ઉજવાયું. કોવિડ-19ને પગલે આ વર્ષે પહેલા જેવી ધૂમધામ ન જોવા મળી અને પારંપરિક રીતે દર વર્ષે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવાના કાર્યક્રમ પણ રદ રહ્યા. પહેલાની સરખામણીમાં ઘણા ઓછા સ્થળોએ પૂતળાનું દહનની મંજૂરી આપવામાં આવી હતી. જ્યાં મંજૂરી મળી, ત્યાં પણ રાવણને બદલે આ વખતે કોરોનાનું જ પ્રતિકાત્મક રીતે દહન કરવામાં આવ્યું અને પ્રાર્થના કરવામાં આવી કે, જલદીમાં જલદી દુનિયાને આ મહામારીથી મુક્તિ મળે. આવો, નજર નાખીએ દેશભરમાં દશેરાના કાર્યક્રમો પર...
I am Gujarat Ravan Dahan


લખનૌમાં કોરોના દહન
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના એશબાગમાં અલગ રીતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી. રાવણના પૂતળાની સાથે કોરોના વાયરસનું પ્રતિકાત્મક દહન કરવામાં આવ્યું. સંક્રમણ કાળમાં લોકોની ભીડથી બચવા માટે રાવણ દહનના કાર્યક્રમને ઓનલાઈન પ્રસારિત કરવામાં આવી.

દિલ્હીમાં રાવણ-કુંભકર્ણના પૂતળાનું દહન
દિલ્હીમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના વિશાળ પૂતળાનું દહન શાસ્ત્રી પાર્કમાં કરવામાં આવ્યું. દહન પહેલા રાવણ અને કુંભકર્ણના પૂતળા આ અંદાજમાં ઊભા રખાયા હતા.

આવતા વર્ષે મળીશું
કોરોના કાળમાં ઘણી જગ્યાએ રાવણ દહનનો કાર્યક્રમ ન ઉજવાયો. ભીડથી બચવા માટે લોકોને પ્રતિકાત્મક રીતે વિજયાદશમી ઉજવાઈ. દશેરાની પૂર્વ સંધ્યા પર રામબાગમાં રાવણનું આવું જ પૂતળું જોવા મળ્યું. પૂતળા પર લખ્યું હતું કે, 'કોરોનાને હરાવવાનો છે. હિંદુસ્તાનને બચાવવું છે. અસત્ય પર સત્યની જીત ત્યારે જ થશે. વર્ષ 2021માં મળીશું.'

લુધિયાણામાં 30 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું

નિયમો પર ભારે પડી બાળકોની જિદ
ચંદીગઢના સેક્ટર-46માં 10 લોકોએ મળીને 20 દિવસો સુધી કડક મહેનત કરી અને 10-12 ફૂટના રાવણનું પૂતળું બનાવી દેવાયું. હકીકતમાં, ચંદીગઢ વહીવટીતંત્રએ કોરોનાને જોતાં રાવણ દહન કાર્યક્રમ પર રોક લગાવી દીધી હતી. એ કારણે લોકોએ કાર્યક્રમ ન યોજવાનો નિર્ણય લીધો હતો, પરંતુ નાના બાળકોને એ મંજૂર ન હતું. બાળકોની જિદ, લોકોની મહેનત અને લોકોની ભાવનાઓ સામે વહીવટી તંત્રએ ઝૂકવું પડ્યું અને કાર્યક્રમની મંજૂરી આપવી પડી. જોકે, ચંદીગઢમાં વિજયાદશમીનું સૌથી મોટું આયોજન કોરોના મહામારીના કારણે રદ કરી દેવાયું.

સુરતમાં ટીચર્સે કર્યું કોરોના દહન
ગુજરાતના સુરતમાં ટીચર્સે કોરોના પ્રતીક તરીકે રાવણના પૂતળાનું દહન કર્યું. લોકોએ પ્રાર્થના કરી કે, મહામારીમાંથી જલદીમાં જલદી મુક્તિ મળે.

ઘરે જ કરાયું રાવણ દહન
આ તસવીર મુંબઈના ભાંડુપની છે. શખસે પોતાના દીકરાને એ બતાવવા કે રાવણ દહન કઈ રીતે કરવામાં આવે છે, ઘરે જ રાવણ દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રખાયું હતું.

દિલ્હીના શાસ્ત્રી પાર્કમાં રાવણ દહન


નોઈડામાં ભાઈઓ સહિત રાવણનું દહન
ઉત્તર પ્રદેશના નોઈડામાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ ત્રણેના પૂતળા બનાવાયા હતા. શ્રી સનાતન ધર્મ રામલીલા સમિતિ તરફથી ત્રણે ભાઈઓના પૂતળાનું દહન કરી પોતાની અંદરના દુર્ગુણોને મારવાનો સંદેશ આપવામાં આવ્યો.

મંત્રીએ કહ્યું રાવણ દહન તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં દશેરા પ્રસંગે અંબરપેટમાં રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી પણ હાજર રહ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો