એપશહેર

પાકથી આવેલા દરેક શરણાર્થીને નાગરિકતા ન આપી દઈએ ત્યાં સુધી જંપીશું નહીં: અમિત શાહ

નવરંગ સેન | I am Gujarat 12 Jan 2020, 7:47 pm
જબલપુરઃ નાગરિકતા સુધારા કાયદાને લઈને આક્રમક વલણ દાખવતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પાકિસ્તાનથી હેરાન થઈને આવેલા તમામ લોકોને ભારતની નાગરિકતા નહીં આપીએ ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહીં. એક્ટનો વિરોધ કરી રહેલા વિરોધ પક્ષો પર પ્રહાર કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું છે કે કોંગ્રેસવાળા તમે ભલે સીએએનો ગમે તેટલો વિરોધ કરો પરંતુ પાકિસ્તાનથી ત્રાસનો ભોગ બનીને આવેલા પ્રત્યેક વ્યક્તિને ભારતનું નાગરિકત્વ નહીં આપીએ ત્યાં સુધી અમે જંપીને બેસીશુ નહીં. આવા લોકોને સિટિઝનશિપ આપ્યા બાદ જ અમે આરામ કરીશું. આવું કરતા અમને કોઈ રોકી શકે નહીં. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો કોંગ્રેસ શાસિત રાજ્ય મધ્ય પ્રદેશમાં રેલીને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ભારતમાં પાકિસ્તાનમાં શોષણનો ભોગ બનીને ભારત આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી શરણાર્થીઓના એટલા જ અધિકારો છે જેટલા અમારા છે. અમિત શાહે તેમણે ચાર મહિનાની અંદર રામ મંદિર નિર્માણનું કામ શરૂ કરવાની વાત પણ કરી હતી. અમિત શાહે રાહુલ ગાંધી અને મમતા બેનર્જીને પડકાર આપ્યો છે કે સીએએની એક એવી બાજુ બતાવો જેનાથી કોઈની નાગરિકતા જાય છે. સીએએ મુદ્દે કોંગ્રેસ ઉપરાંત તૃણમુલ કોંગ્રેસના વડા તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢતા રહ્યા છે. આ અંગે અમિત શાહે જણાવ્યું છે કે હું રાહુલ બાબા અને મમતા બેનર્જીને પડકાર આપું છું કે તેઓ સીએએની એક એવી જોગવાઈ બતાવે જેનાથી કોઈની નાગરિકતા જઈ રહી છે. આજે હું તે જણાવવા આવ્યો છું કે સીએએમાં ક્યાંય પણ કોઈની નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ છે જ નહીં, પરંતુ આમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે. શરણાર્થી અમારા ભાઈ છે, નાગરિકતા આપીને રહીશું અમિત શાહે સીએએના મુદ્દે પાછા ન હટવાની વાત પર ભાર મૂકતા કહ્યું છે કે કોંગ્રેસવાળા કાન ખોલીને સાંભળી લે, જેટલો વિરોધ કરવો હોય તેટલો કરો પરંતુ અમે આ બધા લોકોને નાગરિકતા આપીને જ જંપીશું. ભારત પર જેટલો અધિકાર મારો છે તેટલો જ અધિકાર તમારો પણ છે અને એટલો જ અધિકાર પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓનો પણ છે. તેઓ આપણા જ ભાઈ-બહેન છે. કોંગ્રેસે ધર્મના આધારે ભારતના ભાગલા પાડ્યા કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું છે કે જ્યારે દેશના ભાગલા પડ્યા અને કોંગ્રેસ પાર્ટીએ દેશના ભાગલા ધર્મના આધારે પાડ્યા હતા. ભાગલા વખતે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનથી હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને ભારત આવવું હતું. જોકે, તે સમયની સ્થિતિના કારણે તેઓ આવી શક્યા ન હતા. આપણા દેશના તમામ નેતાઓએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ હાલમાં ત્યાં રોકાઈ જાય અને બાદમાં તમે જ્યારે પણ ભારત આવશો ત્યારે તમારું સ્વાગત કરવામાં આવશે. ભારત તમને નાગરિકતા આપશે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story