એપશહેર

સરકારી રાહત હોવા છતા 80 ટકા પરિવારોના ગજા બહારનો છે કોરોના સારવાર ખર્ચ

કોરોના નહી જ થાય તેવું માનીને ચાલતા અનેક લોકોને આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે માટે આર્થિક રીતે પડી ભાંગવા કરતા સારું છે સાવધાની પૂર્વક આગળ વધવું.

Authored byRema Nagarajan | TNN 12 Oct 2020, 10:36 am
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 લાખને વટાવી ગઈ છે. તેની સારવાર સામાન્ય માણસની ક્ષમતાની બહારની છે. આ જ કારણ છે કે લોકોમાં વધી રહેલા કોરોના પ્રકોપને ધ્યાનમાં રાખીને, મોટાભાગની રાજ્ય સરકારોએ કોરોના ઉપચાર પર ખર્ચની મર્યાદા નક્કી કરી છે. પરંતુ તે હજી પણ એટલી જ મોંઘી છે કે જો ઘરનો એક સભ્ય પણ તેની પકડમાં આવી જાય તો ભારતના 80% પરિવારોની આર્થિક સ્થિતિ બગાડી શકે છે. આંકડા મુજબ જો કોઈ વ્યક્તિને દસ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડે તો તેનું બિલ તેના પરિવારના માસિક ખર્ચ કરતાં અનેકગણુ વધુ આવે છે.
I am Gujarat even after hospital cost capped covid 19 expanse can cripple 80 percent of indian families financial situation
સરકારી રાહત હોવા છતા 80 ટકા પરિવારોના ગજા બહારનો છે કોરોના સારવાર ખર્ચ


National Statistical Office (NSO) 2017-18ના અહેવાલ મુજબ દેશમાં સૌથી વધુ દિલ્હીમાં માથાદીઠ ખર્ચ છે. અહીં વસ્તીના 80 ટકા માથાદીઠ ખર્ચ પ્રતિ મહિના 5000 છે. એટલે કે 5 લોકોના પરિવાર પર પ્રતિ મહિને 25,000 રૂપિયા ખર્ચ આવે છે. જ્યારે કોરોના દર્દી માટે દિલ્હીમાં સૌથી સસ્તા આઇસોલેશન બેડની કિંમત 10 દિવસના 80,000 રૂપિયા છે. જે 80 ટકા વસ્તીના માસિક ખર્ચથી 3 ગણા વધુ છે. જો કોઈ કોરોના દર્દી વેન્ટિલેટર સપોર્ટ પર હોય તો સારવાર બિલ અને લાખ રૂપિયા થઈ શકે છે, કેમ કે આનાથી સાજા થવા માટે બેથી ત્રણ અઠવાડિયા લાગે છે.


સરકારી હોસ્પિટલમાં ઈલાજ

અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ 20 રાજ્યોમાં આઈસોલેશન બેડ્સ, વેન્ટિલેટર વગર અને વેન્ટિલેટર સાથે ICU બેડ પર થનારા ખર્ચ અને તે રાજ્યોમાં પ્રતિ વ્યક્તિ માથાદીઠ ખર્ચનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. જે મુજબ સારવાર ખર્ચ નક્કી કરવા છતાં તે 80 ટકા પરિવારો માટે કોરોનાની સારવાર ક્ષમતાની બહારની વાત છે. બધા રાજ્યોમાં કોરોના સારવાર સરકારી હોસ્પિટલોમાં નિ: શુલ્ક છે. પરંતુ કોરોના નહોત ત્યારે પણ ફક્ત 42 ટકા દર્દીઓ જ સરકારી હોસ્પિટલોમાં જ સારવાર લે છે.

સરકારી હોસ્પિટલોમાંથી રીફર કરવામાં આવેલા દર્દીઓ અને સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ આવતા દર્દીઓ માટેના સારવાર પાછળના ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવ્યો છે. જો કે, ફક્ત પ્રભાવશાળી લોકોને જ સરકારી હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે. તેલંગણા, કર્ણાટક અને ઓડિશા જેવા રાજ્યોમાંના તમામ દર્દીઓ માટે સારવારમાં પ્રાઇસ કેપ લાગુ છે. પરંતુ જુદા જુદા રાજ્યોમાં પીપીઇ, સીટી અને એમઆરઆઈ અને દવાનો ખર્ચ અને નિષ્ણાતોની ફી જુદી જુદી છે. પ્રાઈવેટ હોસ્પિટલો પણ પ્રાઇસ કેપથી બચવા માટે જુદી જુદી ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. દિલ્હી જેવા ઘણા રાજ્યોમાં તો પ્રાઇસ કેપ લાગુ કરવાની કોઈ સિસ્ટમ જ નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો