એપશહેર

Shocking: કોરોનાને કારણે દર બીજો ભારતીય બની રહ્યો છે માનસિક તણાવનો ભોગ

કોરોના મહામારીના કારણે ભારતીયોમાં માનસિક તણાવન કેસો વધી રહ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી.

Written byDurgesh Nandan Jha | TNN 16 Sep 2020, 6:43 pm
નવી દિલ્હી: તાજેતરના એક સર્વેમાં કોરોના વાયરસની અસરને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. જે મુજબ, કોરોના મહામારીના કારણે ભારતીયોમાં માનસિક તાણનું પ્રમાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સર્વે મુજબ, દર ચોથો ભારતીય ખૂબ તણાવમાં છે અને તેને તબીબી મદદની જરૂર છે. ભારતની દર બીજી વ્યક્તિમાં માનસિક તણાવના કેટલાક લક્ષણો જોવા મળ્યા છે. એપ્રિલ અને મે મહિનામાં સાકેતના મેક્સ હેલ્થકેર વિભાગના મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવિયરલ સાયન્સીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા વેબ-બેઝ્ડ સર્વેમાં આ વાત સામે આવી છે. તેમાં 1,069 લોકોનો સર્વે કરાયો હતો. જેમાંથી મોટાભાગના દિલ્હી, યુપી, હરિયાણા અને મહારાષ્ટ્રના હતા.
I am Gujarat Corona anxiety
કોરોના મહામારી દરમિયાન નોકરી, આવક અને ઘરકંકાશ વગેરે સમસ્યાથી લોકોની ચિંતામાં થયો વધારો. (પ્રતિકાત્મક તસવીર)


આ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર અને હેડ ડો. સમીર મલ્હોત્રાએ જણાવ્યું કે, આ સર્વેમાં ભાગ લેનારા 55 ટકા લોકો માનસિક તણાવના લક્ષણોના નક્કી કરાયેલા માપદંડ સુધી પહોંચતા હોવાનું જણાયું હતું અને તેમાંથી ચોથા ભાગમાં ડિપ્રેશનના લક્ષણો જણાયા હતા. તેમણે જણાવ્યું કે, સર્વેમાં ભાગ લેનારામાંથી 27 ટકા લોકોએ જણાવ્યું કે, તેમને ઓછામાં ઓછો એક વખત પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો કે મોતનો વિચાર આવ્યો હતો, જ્યારે 3 ટકા લોકોએ જણાવ્યું કે, તેમને આવા વિચારો સતત આવે છે.

અમારા સહયોગી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં પોતાની જાતને નુકસાન પહોંચ્યું હોય તેવા દર્દીઓની સંખ્યા હોસ્પિટલોમાં વધી રહી છે. AIIMSમાં એપ્રિલથી જુલાઈ વચ્ચે આવા 23 કેસ આવ્યા હોવાનું ટ્રોપ સર્વિસના ચીફ ડો. રાજેશ મલ્હોત્રાએ જણાવ્યું હતું.

મેક્સ પ્રતાપગંજ અને મેસ વૈશાલીના ડોક્ટરોએ જણાવ્યું કે, મેથી જુલાઈની વચ્ચે આવા (પોતાની જાતને ઈજા પહોંચાડી હોય તેવા) 40 કેસો આવ્યા હતા. આ બંને હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ ડો. મનોજ જોહરે જણાવ્યું કે, સામાન્ય રીતે વર્ષે આવા 7થી 8 કેસ આવતા હોય છે.

ડોક્ટોરોએ જણાવ્યું કે, આવક ઘટતા, નોકરી છૂટી જતા કે ઘરકંકાશના કારણે માનસિક તણાવ ઊભો થવાથી પોતાની જાતને ઈજા પહોંચાડવાના કેસો વધી રહ્યા છે. જે લોકોની નોકરી ગઈ છે કે જેમની આવક ઘટી ગઈ છે તેમને ખરાબ રીતે અસર થઈ છે.

ડોક્ટરોએ જણાવ્યું કે, તેમને એવા ઘણા ફોન આવી રહ્યા છે, જેમાં લોકો તેમના પરિવારને કોરોના થવાનો ભય વ્યક્ત કરતા હોય છે. ડો. મલ્હોત્રાએ કહ્યું કે, આ સમસ્યામાં બહાર આવવા શૈક્ષણિક અને નાણાકીય મદદ માટે વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, 'કંપનીઓએ તેમના કર્મચારીઓ નોકરીની સલામતી અનુભવે અને કામકાજના કલાકો દરમિયાન આરામ મળે તેવા પગલાં ભરવા જોઈએ. તેમજ, સરકારે ટેક્સ અને ઈએમઆઈમાં રાહત આપવા પર વિચાર કરવો જોઈએ.'

કોઈ વ્યક્તિના માનસિક સમસ્યાના લક્ષણોની જેમ બને તેમ જલદી જાણ થાય તે જરૂરી છે. એક સીનિયર સાઈકિયાટ્રીસ્ટે કહ્યું કે, 'હાલની જનરેશન આવી મહામારીના સમયમાંથી પહેલી વખત પસાર થઈ રહી છે. જે લોકો મજબૂત શરીર અને અને મજબૂત મનના છે તેમની જવાબદારી છે કે તેઓ માનસિક સમસ્યામાંથી પસાર થતા લોકોની મદદ કરે.' શારીરિક સમસ્યાઓ, ધ્યાન અને સ્વસ્થ્ય વાતચીત એ સારા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો