એપશહેર

કોરોનાથી મૃત્યુ પામેલાઓના પરિવારને મળશે રૂ.50,000: કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તે કોરોનાથી મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયા વળતર આપશે

I am Gujarat 22 Sep 2021, 10:04 pm
કોરોના વાયરસથી જેનું મોત થયું છે તેના પીડિત પરિવારને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંધનામામાં આ જાણકારી આપી છે.
I am Gujarat death corona22

LLBની વિદ્યાર્થિની પર કથિત રેપ: વડોદરાનો CA અને પાવાગઢના ટ્રસ્ટી ફરારકેન્દ્ર સરકારે કહ્યું છે કે આ રકમ કોવિડ-19ના રોગચાળાના ભવિષ્યના સ્ટેજમાં પણ કે પછી આગામી સૂચના સુધી જારી રહેશે. તે મૃતક પરિવારોને પણ વળતર આપવામાં આવશે જે કોરોના રાહત કાર્યોમાં સામેલ હતા અથવા તૈયારીઓની ગતિવિધિઓ સાથે જોડાયેલા હતા.

વળતર માટે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ પ્રમાણે મૃતકના મોતનું કારણ કોરોના છે તેવું સર્ટિફાઈડ હોવું જરૂરી છે. રાજ્યો દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર રીલિફ ફંડ (એસડીઆરએફ)માંથી ચૂકવવામાં આવશે.
પૂર પીડિતો માટે રાજ્ય સરકારે સરકારી સહાયમાં કર્યો વધારોજોકે, કેટલાક રાજ્યોએ તો વળતરની જાહેરાત કરી દીધી છે. બિહારમાં કોરોનાથી મરનાર વ્યક્તિના પરિવારને વળતર તરીકે 4 લાખ રૂપિયા આપવાની જાહેરત કરવામાં આવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં કોવિડ-19થી મોતને ભેટેલા વ્યક્તિના પરિવારને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Read Next Story