એપશહેર

કોરોનાથી સંક્રમિત દેશના જાણીતા શાયર રાહત ઈન્દોરીનું નિધન

રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ઈન્દોરમાં 10 ઓગસ્ટે મોડી રાત્રે અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

I am Gujarat 11 Aug 2020, 5:58 pm
ઈન્દોરઃ દેશના જાણીતા શાયર અને કવિ રાહત ઈન્દોરીનું મંગળવારે નિધન થઈ ગયું. તે કોરોના વાયરસથી સંક્રમિત હતા, જેની સારવાર માટે તેમને મધ્યપ્રદેશના ઈન્દોરમાં 10 ઓગસ્ટે મોડી રાત્રે અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત ઈન્દોરીના પુત્ર સતલજે આ માહિતી આપી હતી, ત્યાર બાદ ખુદ રાહત ઈન્દોરીએ ટ્વીટ પણ કર્યું હતું.
I am Gujarat famous writer rahat indori dies of coronavirus
કોરોનાથી સંક્રમિત દેશના જાણીતા શાયર રાહત ઈન્દોરીનું નિધન



આ પહેલા વહેલી સવારે રાહત ઈન્દોરીએ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું, 'કોવિડના શરૂઆતના લક્ષણો દેખાતા મારો ગઈ કાલે ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અરબિંદો હોસ્પિટલમાં એડમિટ છું, દુઆ કરો કે જલદીથી જલદી બીમારીને હરાવી દઉં, બીજી એક મદદ, મને કે ઘરના લોકોને ફોન ન કરો, મારી સારવારના સમાચાર ટ્વીટર અને ફેસબુક પર તમને મળતી રહેશે.'

અરબિંદો હોસ્પિટલના ડોક્ટર વિનોદ ભંડારીએ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમને બે વખત હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમની સ્થિતિ વધારે ખરાબ થતી ગઈ. અમે લોકો તેમને બચાવી શક્યા નહીં. તેમને 60 ટકા નિમોનિયા હતો. કોવિડી પોઝિટિવ , હાઈપર ટેન્શન અને ડાયાબિટિક પણ એક મુશ્કેલી હતી.

ઉલ્લેખનીય છે કે રાહત ઈન્દોરી દેશના જાણીતા શાયર છે. સાથે તેમણે બોલિવૂડ માટે પણ અનેક ગીતો પણ લખ્યા છે. રાહતની ઉંમર 70 વર્ષ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો