એપશહેર

ટ્રેક્ટર પલટી જતા ઉત્તરાખંડના ખેડૂતનું મોત નીપજ્યું, વર્ષ પહેલા થયા હતા લગ્ન

પોલીસના જણાવ્યા મુજબ આ ખેડૂત ખૂબ ઝડપી ગતિએ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો જેના કારણે ટ્રેક્ટર પલટી ગયું અને આ ખેડૂતનું મોત થયું.

I am Gujarat 26 Jan 2021, 7:06 pm
નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન આઈટીઓમાં એક ખેડૂતનું મોત થઈ ગયું. ખેડૂતોનો આરોપ છે કે પોલીસની ગોળીબારીમાં આ ખેડૂતનું મોત થયું છે. પણ, પોલીસના જણાવ્યા મુજબ આ ખેડૂત ખૂબ ઝડપી ગતિએ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો જેના કારણે ટ્રેક્ટર પલટી ગયું અને આ ખેડૂતનું મોત થયું. ખેડૂતના મોત બાદ પ્રદર્શનકારી વધુ ઉગ્ર થઈ ગયા અને તે વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો.
I am Gujarat q8


મૃતક ખેડૂતનું નામ નવનીત સિંહ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઉત્તરાખંડના રુદ્રપુરના રહેવાસી છે. 30 વર્ષીય નવનીત સિંહ મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા બોલાવાયેલી ટ્રેક્ટર પરેડમાં ભાગ લઈ રહ્યા હતા. દિલ્હી આઈટીઓની સામે ટ્રેક્ટર પલટી જતા તેમનું મોત થયું છે. એવું જાણવા મળ્યું છે કે એક વર્ષ પહેલા જ નવનીતના લગ્ન થયા હતા. પરંતુ, ખેડૂત પ્રદર્શનકારીઓએ દાવો કર્યો છે કે નવનીતનું મોત ટ્રેક્ટર પલટી જતા નહીં પણ પોલીસની ગોળીથી થયું છે. ખેડૂતના મોત બાદ ત્યાંનો વિસ્તાર તણાવપૂર્ણ થઈ ગયો.

ખેડૂતોએ નવનીતનું શબ આઈટીઓ ચોક પર રાખીને પ્રદર્શન શરૂ કર્યું અને કથિતરીતે ગોળી ચલાવનાર પોલીસકર્મી પર કાર્યવાહીની માગ કરી. પોલીસે આ પ્રદર્શનકારીઓના આરોપોને નકારતા કહ્યું કે ખેડૂતનું મોત ટ્રેક્ટર પલટી જતા થયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદે આવેલા સિંઘુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના કેટલાક સમૂહ મંગળવારે પોલીસના બેરિકેડ્સને તોડીને દિલ્હીમાં પ્રવેશી ગયા હતા. રાજધાનીમાં જુદા જુદા સ્થળોએ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ પરિસ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહના ઘરે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી રહી છે.

Read Next Story