એપશહેર

હાઈવેની વચ્ચે ડિવાઈડર ઉપર ખેડૂતે ઉગાડ્યો સોયાબીનનો પાક, જાણો કેમ?

નેશનલ હાઉવે ઉપર તૈયાર કરાયેલા ડિવાઈડર પર ખેડૂતે ઉગાડ્યો સોયાબિનનો પાક, હાઈવે ઉપર જોવા મળી હરિયાળી.

I am Gujarat 10 Aug 2020, 3:59 pm
મધ્યપ્રદેશ: રસ્તાનો આ ફોટોગ્રાફ મધ્યપ્રદેશના બેતુલ-ભોપાલ હાઈવેનો છે કે જ્યાં ડિવાઈડર ઉપર એક ખેડૂતે સોયાબિનનું વાવેતર કર્યું છે. હાઈવે ઉપર જોવા મળી રહેલી આ હરિયાળીની પાછળ પ્રશાસન નહીં પણ ખેડૂતની મહેનતનું પરિણામ છે. આ ખેડૂતે હાઈવે પરના ડિવાઈડરની ઉપર સોયાબિનનો પાક ઉગાડ્યો છે. આ વાત જાણીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને સ્થાનિક પ્રશાસન પણ ચોંકી ગયું છે.
I am Gujarat q2


પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા મધ્યપ્રદેશના બેતુલથી ભોપાલ હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પણ, છેલ્લા કેટલાંક દિવસોથી રસ્તાની વચ્ચે ડિવાઈડર પર સોયાબિનનો પાક લહેરાતો જોવા મળી રહ્યો છે. કારણકે આ નેશનલ હાઉવે ઉપર તૈયાર કરાયેલા ડિવાઈડર પર 10 ફૂટ પહોળી અને 300 ફૂટ લાંબી જગ્યા પર સોયાબિનનો પાક લલ્લા યાદવ નામના ખેડૂતે ઉગાડ્યો છે.

લલ્લા યાદવ નામના ખેડૂતે જણાવ્યું કે આ રસ્તાનું નિર્માણ કરી રહેલી કંપનીને રસ્તાની વચ્ચેના ડિવાઈડર પર છોડ વાવવાના હતા. પણ, લાંબા સમયથી તે કંપનીએ અહીં કાળી માટી નાખીને આ જગ્યા ખાલી છોડી દીધી હતી. માટે આખરે મેં અહીં 5 કિલોગ્રામ જેટલા બીજની વાવણી કરી. ત્યારબાદ જ્યારે અહીં સોયાબિનનો પાક ઉગ્યો ત્યારે તેમણે આ પાકની દેખભાળ કરવાનું શરૂ કર્યું. હાલ આ કેસમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો