એપશહેર

પોતાની માંગ પર અડગ રહેલા ખેડૂતોને સરકારે મોકલ્યો પ્રસ્તાવ, ખેડૂતો આંદોલનનો અંત લાવશે?

શું ખેડૂતોની વાત સરકારે આખરે માની લીધી? ખેડૂતો બેઠક કરીને આગળની માહિતી આપશે

I am Gujarat 9 Dec 2020, 2:57 pm
ખેડૂત નેતા કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. જોકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠકમાં કેન્દ્ર સરકારે તેનો ઈનકાર કરી દીધો હતો અને વાતચીત અટકી ગઈ હતી. ખેડૂતોએ આંદોલન કર્યું ભારત બંધ બોલાવ્યું અને તે પછી પણ પોતાની માગણીઓને લઈને અડગ છે. આવામાં કેન્દ્ર સરકારે પણ સંપૂર્ણ રીતે કાયદાને નાબૂદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. હવે સરકારે સામેથી આંદોલન કરી રહેલા નેતાઓને એક પ્રસ્તાવ સ્વરુપે પત્ર મોકલ્યો છે.
I am Gujarat farmer leaders at singhu border receive a draft proposal from the government of india
પોતાની માંગ પર અડગ રહેલા ખેડૂતોને સરકારે મોકલ્યો પ્રસ્તાવ, ખેડૂતો આંદોલનનો અંત લાવશે?



ખેડૂત નેતાઓને કેન્દ્ર સરકાર તરફથી પ્રસ્તાવ મળ્યો છે તેના પર હવે ખેડૂતોની બેઠક થશે અને તેના પર ચર્ચા કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતો સરકારની વાતનો સ્વીકાર કરે છે કે પછી આંદોલનને યાથાવત રાખીને સરકાર સામે કાયદાને નાબૂદ કરવામાં આવે તેવી લડત ચાલુ રાખે છે.

સિંધુ બોર્ડર પર હાજર ખેડૂત નેતાઓને સરકાર તરફથી એક પત્ર મળ્યો છે. આ પ્રસ્તાવ પત્રમાં શું જણાવવામાં આવ્યું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. હવે ખેડૂતો તેના પર ચર્ચા કરીને આગળની રણનીતિ નક્કી કરી શકે છે. ખેડૂતોને મોકલવામાં આવેલા પત્રમાં અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીત હોવાની પણ ખબર છે. જણાવી દઈએ કે ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે થનારી છઠ્ઠા તબક્કાની વાતચીત રદ્દ થઈ ગઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો