એપશહેર

કૃષિ કાયદા પર સુપ્રીમનો ચુકાદો સાંભળી ખેડૂતોના વકીલે કહ્યું 'તમે સાક્ષાત ભગવાન છો'

I am Gujarat 12 Jan 2021, 2:43 pm
કૃષિ કાયદાનો વિરોધ કરનાર વકીલ એમ.એલ. શર્માએ કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના સ્ટે આપવાનો આદેશ આપ્યા બાદ ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના વખાણ કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. નોંધપાત્ર વાત એ છે કે સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાઓ પર સ્ટે મૂકતા ખેડૂતોના મુદ્દાને હલ કરવા માટે એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે.
I am Gujarat farmer protest and after supreme court stay over farm law lawyer ml sharma said to cji sa bobde you are living god
કૃષિ કાયદા પર સુપ્રીમનો ચુકાદો સાંભળી ખેડૂતોના વકીલે કહ્યું 'તમે સાક્ષાત ભગવાન છો'


એમ.એલ. શર્મા બોલ્યા- તમે સાક્ષાત ભગવાન છો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કૃષિ કાયદાઓનો વિરોધ કરનાર એડવોકેટ એમ.એલ. શર્માએ ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેને સાક્ષાત ભગવાન ગણાવ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે શર્મા સતત કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા. તેમણે આ કાયદાને ખેડૂતોની વિરુદ્ધનો ગણાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે બનાવી દીધી ચાર સદસ્યોની કમિટી

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે ચાર સભ્યોની સમિતિ બનાવી છે. સમિતિમાં ભૂપિંદરસિંહ માન (અધ્યક્ષ, બીકેયુ), ડો. પ્રમોદ કુમાર જોશી (આંતરરાષ્ટ્રીય નીતિના વડા), અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાત) અને અનિલ ધનાવત (શિવકેરી સંગઠન, મહારાષ્ટ્ર) ચાર વ્યક્તિઓની નિમણૂંક કરી છે.

સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી

સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલત અને મુખ્ય ન્યાયાધીશે સરકાર અને ખેડૂત સંગઠનોને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે તે કાયદાની કાયદેસરતા અને નાગરિકોના જીવનની ચિંતા કરે છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ સમિતિ દરેકની વાત સાંભળશે. જેને પણ આ મુદ્દાના સમાધાન લાવવા માગે છે તે સમિતિ પાસે જઈ શકે છે. તે કોઈ હુકમ આપશે નહીં અથવા કોઈને પણ સજા કરશે નહીં. તે તેનો રિપોર્ટ ફક્ત અમને સોંપશે. તેમણે કહ્યું કે અમે એક સમિતિની રચના કરીએ છીએ જેથી અમારી સામે સ્પષ્ટ ચિત્ર ઊભું થાય. અમે સાંભળવા માંગતા નથી કે ખેડુતો સમિતિમાં નહીં જાય. અમે સમસ્યા હલ કરવા માંગીએ છીએ. જો તમે અનિશ્ચિત કાળ સુધી પ્રદર્શન કરવા માંગતા હો, તો તમે એમ કરી શકો છો.

તો હવે રામ લીલા મેદાનમાં પ્રદર્શન

ખેડુતોના વકીલ વિકાસસિંહે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન સ્થળ પરથી ખેડુતો એ જગ્યા એ જવા માગે છે જ્યાંથી તેમનું વિરોધ પ્રદર્શન લોકો સુધી પહોંચે. અન્યથા પ્રદર્શનનો કોઈ અર્થ નથી રહેતો. પ્રદર્શન માટે રામલીલા મેદાન આપવું જોઈએ. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રામલીલા મેદાન અથવા અન્ય ક્યાંય પણ પ્રદર્શન માટે પોલીસ કમિશનરની પાસે પરવાનગી માટે અરજી કરી શકે તો અમે આદેશ આપીશું.

Read Next Story