એપશહેર

મુંબઈમાં ખેડૂતોની જાહેરાત, અંબાણી અને અદાણીના બધા ઉત્પાદનોનો કરશે બહિષ્કાર

Farmers have decided in Mumbai protest to boycott Ambani and Adani products

I am Gujarat 25 Jan 2021, 10:24 pm
મુંબઈ: ખેડૂત મહાસભાના નેતૃત્વમાં મુંબઈના આઝાદ મેદાનમાં થઈ રહેલા ખેડૂત આંદોલનમાં ખેડૂત નેતા અશોક ઢવલેએ કેન્દ્ર સરકારને નિશાના પર લીધી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવા માટે આ ત્રણ કાયદા લઈને આવી છે. પરંતુ, દેશના ખેડૂતો એવું નહીં થવા દે. તેમણે મહારાષ્ટ્ર અને દેશના બધા ખેડૂતોને અપીલ કરી કે, અંબાણી અને અદાણીની કંપનીઓ દ્વારા બનાવાયેલા બધા ઉત્પાદનોનો બહિષ્કાર કરે, જેથી ખેડૂત એકતાની ખબર પડે અને સરકાર આ ત્રણે ખેડૂત વિરોધી કાયદા રદ કરવા મજબૂર થઈ જાય. મુંબઈમાં યોજાઈ રહેલા ખેડૂત આંદોલનનું આજે હાલ પુરતું સમાપન થઈ ગયું છે. બધા ખેડૂતો આઝાદ મેદાન પહોંચી ચૂક્યા છે. ગણતંત્ર દિવસે ધ્વજવંદન પછી ખેડૂતો પોતાના ઘરેથી નીકળશે.
I am Gujarat Farmers protest in Mumbai


પોલીસની સાથે મુંબઈના મેટ્રો સિનેમા પાસે એક કલાકથી વધુ ચાલેલી રકઝક પછી ખેડૂત નેતાઓએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને આપવાનું આવેદન મહાવિકાસ અઘાડીના નેતાઓની હાજરીમાં ફાડી દીધું. ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તેઓ હવે રાજ્યપાલને મળવા નહીં જાય. બધું જાણતા હોવા છતાં પણ કોશ્યારી ગોવા મજા કરવા જતા રહ્યા છે. હવે સીધા રાષ્ટ્રપતિને આવેદન આપવમાં આવશે.

ખેડૂત નેતા અશોક ઢવલે એટલા ગુસ્સામાં હતા કે, તેમણે કહ્યું કે, રાજ્યપાલે મહારાષ્ટ્રના ખેડૂતોનું અપમાન કર્યું છે. જ્યારે તેમને જાણ હતી કે, મહારાષ્ટ્રના દૂર-દૂરના વિસ્તારોમાંથી ખેડૂતો પગપાળા મુંબઈ આવી રહ્યા છે અને તેમણે પોતે મળવા માટે સમય આપ્યો હતો. એવામાં તેઓ ગોવામાં કેમ જતા રહ્યા.

ખેડૂતોના આ મહા આંદોલનમાં એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ હાજરી આપી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રને આવા રાજ્યપાલ ક્યારેય નથી મળ્યા, જેમની પાસે કંગનાને મળવાનો સમય છે, પરંતુ ખેડૂતોને મળવાનો સમય નથી. કેન્દ્ર સરકારે આ કાયદો બનાવીને ડો. બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે. સંસદની પ્રતિષ્ઠાનું ધ્યાન ન રાખીને તે લાવવામાં આવ્યો છે. હવે, ખેડૂતોનું કહેવું છે કે, સરકાર કાયદો પાછો લે કે ના લે, પરંતુ ખેડૂતો આ સરકાર અને કાયદા બંનેને ઉખાડી ફેંકશે, જેની શરૂઆત થઈ ચૂકી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો