એપશહેર

આવતીકાલની બેઠક પહેલા અમિત શાહે આજે ખેડૂતોને બોલાવ્યા, શું છે એજન્ડા?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આવતીકાલે ખેડૂતોની સરકાર સાથેની બેઠક પહેલા ખેડૂત નેતાઓને મળવા બોલાવ્યા છે.

I am Gujarat 8 Dec 2020, 5:42 pm
નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા છે. બુધવારે ખેડૂત સંઘો અને સરકાર વચ્ચે છઠ્ઠા તબક્કાની વાતચીત પહેલા આજની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતે જણાવ્યું કે, તેઓ સિંધુ બોર્ડર થઈને ગૃહ મંત્રીને મળવા જશે. ખેડૂત નેતાઓ અને ગૃહ મંત્રી વચ્ચે સાંજે 7 વાગ્યે બઠક શરૂ થશે.
I am Gujarat Amit Shah


સૂત્રો મુજબ, આજે શાહને મળવા 13 ખેડૂત નેતા જશે. જેમાંથી 5 જુદા-જુદા રાજ્યો અને 8 એ ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા છે, જેમણે આંદોલન શરૂ કર્યું હતું. પહેલા 5 લોકોને બોલાવાયા હતા, બાદમાં 13 લોકો પર સંમતિ સધાઈ. ગૃહ મંત્રીએ અનૌપચારિક વાતચીત માટે બોલાવ્યા છે. જણાવાઈ રહ્યું છે કે, ગૃહ મંત્રાલય ખેડૂત સંઘોને સરકાર દાવારા કાલની બેઠક માટે તૈયાર કરાયેલા પ્રસ્તાવની જાણકારી આપશે.

સિંધુ બોર્ડર પર થયેલી મીટિંગમાં નક્કી કરાયેલા એ ખેડૂત નેતાઓના નામ, જે સાંજે 7 વાગ્યે અમિત શાહને મળવા જશે તે આ મુજબ છે- રાકેશ ટિકેત, ગુરુનામ સિંહ ચઢૂની, હુનન મુલા, શિવ કુમાર કક્કાજી, બલવીર સિંહ રાજેવાલ, રુલદૂ સિંહ માનસા, મંજીત સિંહ રાય, બૂટા સિંહ બુર્જગિલ, હરિંદર સિંહ લખોવાલ, દર્શન પાલ, કુલવંત સિંહ સંઘુ, બોધ સિંહ માનસા, જગજીત સિંહ દલ્લેવાલ.

બીજી તરફ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી છે. તો, પોતાના જૂના સહયોગી અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાત કરી અને તેમને જન્મદિવસના અભિનંદન આપ્યા. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં ખેડૂતોના સમર્થનમાં પ્રકાશ સિંહ બાદલે પોતાનો પદ્ય વિભૂષણ પાછો આપવાની જાહેરાત કરી હતી.

જણાવાઈ રહ્યું છે કે, ખેડૂતોની વધતી નારાજગી અને વિપક્ષના આકરા વલણને જોતા સરકાર હવે જલદીમાં જલદી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ઈચ્છે છે. આ પહેલા નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકારની વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત કોઈ પરિણામ વિના પૂરી થઈ હતી.

Read Next Story