એપશહેર

ખેડૂત આંદોલને ફરીથી જોર પકડ્યું, છઠ્ઠી ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામનું એલાન

ખેડૂત નેતાઓનું કહેવું છે કે બજેટમાં કૃષિ ક્ષેત્રને શું મળ્યું તેનાથી તેમને મતલબ નથી, તેમની ફક્ત એક જ માંગ છે કે કાયદા પાછા લેવામાં આવે

I am Gujarat 1 Feb 2021, 10:29 pm
નવી દિલ્હીઃ ખેડૂતોના આંદોલને ફરી એક વખત જોર પકડ્યું છે. ખેડૂત નેતાઓએ છઠ્ઠી ફેબ્રુઆરીએ દેશભરમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખેડૂત નેતાઓએ ચક્કાજામની પણ વાત કહી છે. ભારતીય કિસાન યુનિયનના નેતા બલબીર સિંહ રાજેવાલે જાહેરાત કરી છે કે નવા કૃષિ કાયદા વિરુદ્ધ હવે સમગ્ર દેશમાં ખેડૂતો આંદોલન કરશે. તેમણે કહ્યું છે કે છઠ્ઠી ફેબ્રુઆરીએ બપોરે 12થી 3 વાગ્યા દરમિયાન ચક્કાજામ કરવામાં આવશે.
I am Gujarat farmers protest2


છઠ્ઠી ફેબ્રુઆરીએ ચક્કાજામ
કિસાન મોર્ચાના નેતૃત્વમાં દિલ્હીની બોર્ડર પર ખેડૂતોનું આંદોલન બે મહિનાથી ચાલી રહ્યું છે. ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરવાને લઈને કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવા માટે સંયુક્ત કિસાન મોર્ચાનું આ મોટી જાહેરાત ગણવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર કૃષિ બિલને પાછુ લેવા માટે તૈયાર નથી. તેવામાં ખેડૂતોનું પ્રદર્શન સતત જારી રહેશે. જરૂર પડશે તો અમે આંદોલનને વધારે આગળ લઈ જઈશું. દેશભરમાં ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે. આશા છે કે છઠ્ઠી ફેબ્રુઆરીએ ચક્કાજામની અસર સમગ્ર દેશમાં જોવા મળશે.

અમને બજેટથી કોઈ મતલબ નથી
ટીકરી અને સિંઘુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેમને ફક્ત કૃષિ કાયદા પાછા લેવાથી મતલબ છે અને કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્રને શું આપવામાં આવ્યું છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. સિંઘુ બોર્ડર પર મોટા ભાગના ખેડૂતો બજેટથી અજાણ છે. ખેડૂતોનું કહેવું છે કે પ્રદર્શન સ્થળો પર ઈન્ટરનેટ ઉપલબ્ધ નથી તેથી તેમને આ અંગે કોઈ જ જાણ નથી. ખેડૂતોનું કહેવું છે કે અમને ફક્ત બિલ પરત લઈ લે તેનાથી જ મતલબ છે. અમે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવડાવીને જ ઘરે જઈશું.

સિંઘુ બોર્ડર પર પોલીસ વ્યવસ્થા વધારવામાં આવી
સિંઘુ બોર્ડર પર સોમવારે સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અન્ય દિવસોની જેમ જ સોમવારે પ્રત્યેક બેરિકેડ્સ પર તૈનાત ફોર્સ એક્ટિવ જોવા મળી હતી. દિલ્હી તરફથી 1.5 કિમી સુધી સામાન્ય લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. બોર્ડર સંપૂર્ણ રીતે સીલ હોવાના કારણે આજુબાજુના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Read Next Story