એપશહેર

'PM કિસાન યોજના'ના 2000 રૂપિયા નથી મળી રહ્યા તો તમે આ રીતે કરી શકો છો ચેક

દેશના તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે

I am Gujarat 5 Oct 2020, 8:24 pm
અમદાવાદઃ ખેડૂતોને રોકડ સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઘણા બધા નોંધાયેલ ખેડૂતોને પૈસા મળ્યા નથી. આ પૈસા કેમ નથી આવ્યા તેની માહિતી મેળવવા માટે ખેડૂતોએ કૃષિ અધિકારી કે સરકારી હેલ્પલાઇન પર સંપર્ક કરવો પડતો હતો પરંતુ હવે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પોર્ટલ પર હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.
I am Gujarat farmers will not get kisan scheme benefit how to chek
'PM કિસાન યોજના'ના 2000 રૂપિયા નથી મળી રહ્યા તો તમે આ રીતે કરી શકો છો ચેક


આ સાઇટની મુલાકાત લીધા બાદ ખેડૂતો આધાર કાર્ડ નંબર દ્વારા પણ પોતાનું ખાતું ખોલી શકે છે. જો તમને પીએમ કિસાન સન્માન નિધિને અરજી કર્યા પછી પૈસા મળ્યા નથી, તો તમે તમારી ભૂલો સુધારી શકો છો.

આ હેલ્પડેસ્ક પર ક્લિક કર્યા બાદ તમે આધાર નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ જે પણ ભૂલ છે, તેને સુધારી શકો છો. જેમ આધાર નંબરમાં સુધાર, સ્પેલિંગમાં ભૂલ એવી તમામ ભૂલને ઠીક કરી શકાય છે. તે સિવાય તમારા પૈસા ક્યાં અટકાઈ ગયા છે, તેની પણ જાણકારી મળી જશે.

શું છે આ યોજના
દેશના તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને કૃષિ તથા તેમની અંગત જરૂરીયાતોને મદદરૂપ થવા ગયા વર્ષે 24મી ફેબ્રુઆરીએ આ યોજના શરૂ કરાઇ હતી. આ યોજના હેઠળ 1 ખેડુત પરિવારને દર વર્ષે 6 હજાર રૂપિયા તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. ખેતી યોગ્ય બે હેક્ટર જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડુતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર હતો. પરંતુ થોડા સમય બાદ તેમાં સુધારો કરી 2 હેક્ટર સુધી ખેતીલાયક જમીનની માલિકીની મર્યાદા નાબૂદ કરી દેવામાં આવી છે. હવે તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને લાભ મળશે. આ સુધારાથી 2 કરોડ વધુ ખેડૂતોને ફાયદો થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો