એપશહેર

પિતાએ ઘર વેચીને ભણાવ્યો, પુત્ર બન્યો IAS ઑફિસર

ઈન્દોરના પ્રદીપ સિંહ UPSC 2019ના રિઝલ્ટમાં 26મો રેન્ક મેળવ્યો છે, તેમનું આ સપનું સાકાર કરવા તેમના પિતાએ ઘર પણ વેચી દીધું હતું

I am Gujarat 4 Aug 2020, 6:21 pm
ઈન્દોરમાં રહેનારા પ્રદીપ સિંહે UPSCની પરીક્ષામાં 26મું સ્થાન મેળવ્યું છે. 2018માં તેમણે UPSC માટે ક્વૉલિફાઈ કર્યું હતું. ત્યારે તેમને ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસ મળી હતી. પ્રદીપ અત્યારે ઈન્કમ ટેક્સમાં આસિસ્ટન્ટ તરીકે કાર્યરત છે. અહીં સુધી પહોંચવા માટે પ્રદીપે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેમને આ જગ્યાએ પહોંચાડવા માટે તેમના પિતાએ બધું કુરબાન કરી દીધું હતું.
I am Gujarat father sold house for son education now pradeep singh got 26th rank in upsc 2019 result
પિતાએ ઘર વેચીને ભણાવ્યો, પુત્ર બન્યો IAS ઑફિસર



એક રેન્ક દૂર રહી ગયું હતું સપનું

અસલમાં પ્રદીપ સિંહ શરૂઆતથી IAS બનવા માગતા હતા. 2018ની પરીક્ષામાં તેમનો રેન્ક 93મો હતો. પ્રદીપ જણાવે છે કે, ગત વર્ષે 92 રેન્કવાળાઓએ IASનું પદ મળ્યું હતું. તેઓ બસ 1 રેંકથી પાછળ રહી ગયા હતા. આ વખતે તેમણે વધુ મહેનત કરવી પડી અને જે સફળતા મળી તેનાથી તેઓ ખુશ છે. તેમણે પોતાનો રેન્ક સુધારવા માટે આ વખતે પરીક્ષા આપી હતી અને તેમનો ટાર્ગેટ 70-80માં સ્થાન બનાવવાનો હતો.

પૂરી નિષ્ઠાથી કામ કરીશ

કેડર અંગે પ્રદીપસિંહે કહ્યું કે, હું પોઝિટિવ હેતુ સાથે આમાં આવ્યો છું. મને જે પણ કેડર મળશે ત્યાં હું પૂરી મહેનત સાથે કામ કરીશ. આ સહયોગ માટે હું તમામ લોકોનો આભાર માનું છું.

હાર પહેરાવી કર્યું સ્વાગત

પુત્રની સફળતાથી પરિવારમાં ખુશીનો માહોલ છે. રિઝલ્ટ આવતા જ તેમણે દીકરાને હાર પહેરાવી સ્વાગત કર્યું. પ્રદીપના સંબંધીઓ પણ ઈન્દોરમાં રહે છે. ઘરે શુભેચ્છાઓ પાઠવનારાઓની લાઈન લાગી છે. પ્રદીપની માતાએ કહ્યું કે, તેમને પુત્રની સફળતા પર ખૂબ જ ગર્વ છે.

પેટ્રોલ પંપ પર કામ કરે છે પિતા

ગત વર્ષે પ્રદીપના પિતાએ પુત્રની સફળતા પર કહ્યું હતું કે, તેમણે પુત્રના ભણતર માટે ઘર પણ વેચી દીધું હતું. પ્રદીપના પિતા ઈન્દોર સ્થિત એક પેટ્રોલ પંપ પર કામ કરે છે. પ્રદીપ 2017માં UPSCની તૈયારી માટે ઈન્દોરથી દિલ્હી ગયા હતા અને પ્રથમ પ્રયત્નમાં જ પ્રદીપે UPSC પાસ કરી લીધી હતી. તેમણે કહ્યું કે, પુત્રના શિક્ષણને પૂરું કરવામાં તેમને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો.

ઈંદોરમાં વેચી દીધું હતું મકાન

પ્રદીપના પિતા 1991માં ઈન્દોર આવી ગયા હતા. તેઓ ઈન્દોરમાં એક પેટ્રોલ પંપ પર કામ કરતા હતા. તે સમયે જ પોતાની બચતમાંથી તેમણે એક મકાન બનાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પૈસાની તંગીને કારણે મારે મકાન વેચવું પડ્યું હતું. પ્રદીપે કહ્યું હતું કે, પિતાજીએ મકાન વેચતા પહેલા સ્હેજ પણ ન વિચાર્યું કે, તેઓ આવું કેમ કરી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો