એપશહેર

કોરોના સામે લડાઈ: 11થી 14 એપ્રિલ 'રસીકરણ ઉત્સવ'નું પીએમ મોદીએ કર્યું આહ્વાહન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી, કહ્યું નાઈટ કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂ કહો, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અત્યંત મહત્વના

I am Gujarat 8 Apr 2021, 9:02 pm
નવી દિલ્હીઃ દેશમાં વકરી રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં લોકો તથા સરકારો વધારે કેઝ્યુઅલ બની છે. તેમણે મુખ્યમંત્રીઓને અપીલ કરી છે કે તેઓ કોરોનાને હરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરે. વડાપ્રધાન મોદીએ મીટિંગ દરમિયાન મુખ્યમંત્રીઓને સાથે કરેલી વાતચીત.....
I am Gujarat narendra modi5


- પરિસ્થિતિનો સામનો કરવા માટે ટેસ્ટિંગ, ટ્રીટિંગ અને ટ્રેકિંગ અત્યંત મહત્વના છે.
- આ કટોકટીમાંથી બહાર આવવા માટે ટેસ્ટિંગ જ એકમાત્ર રસ્તો છે. અમારો લક્ષ્યાંક 70 ટકા RT-PCR ટેસ્ટનો છે. ટેસ્ટિંગથી કોરોનાના કેસની સંખ્યા વધશે પરંતુ વધારેમાં વધારે ટેસ્ટિંગ કરો.
- યોગ્ય રીતે સેમ્પલ એકઠા કરવા તે મહત્વનું છે, તેને યોગ્ય દોરવણી હેઠળ ચેક કરવામાં આવે.

- અમારી ચર્ચા દરમિયાન અમે મોર્ટાલિટી રેટના મુદ્દા અંગે પણ વાત કરી હતી. આપણે મૃત્યુઆંક શક્ય તેટલો ઓછો રાખવાનો છે. આપણે દર્દીઓ, બીમારી જેવી બાબતોનો ડેટા તૈયાર કરવાનો છે કેમ કે તેનાથી લોકોના જીવ બચાવવામાં મદદ મળશે.
- હું તમને વિનંતી કરું છું કે નાઈટ કર્ફ્યૂને 'કોરોના કર્ફ્યૂ' નામ આપો. આ કર્ફ્યૂને રાત્રે 9 વાગ્યાથી વહેરી સવાર સુધી રાખવો વધુ સારો રહેશે. માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પર પણ ધ્યાન આપો.

- મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, પંજાબ જેવા રાજ્યોમાં કોરોનાના કેસ પ્રથમ લહેરની ટોચને પાર કરી ગયા છે. આ ચિંતાનો વિષય છે. લોકો હવે હળવાશથી વર્તી રહ્યા છે. મોટા ભાગના રાજ્યોમાં વહિવટી તંત્ર પણ હળવાશથી વર્તી રહ્યું છે.
- આપણે ફરથી કોવિડ-19ના સામે યુદ્ધના ધોરણે કામ કરવાનું છે. તમામ પડકારો છતાં આપણી પાસે સારો અનુભવ, સંસાધનો અને વેક્સીન છે.
- કેટલાક રાજ્યોમાં ટેસ્ટિંગમાં વધારો કરવા માળખુ તૈયાર કરવાની જરૂર છે.

- કોરોનાથી ચેપગ્રસ્ત વ્યક્તિને મળનારા ઓછામાં ઓછા 30 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ થવું જોઈએ. આ ટ્રેસિંગ 72 કલાકની અંદર થવું જોઈએ.
- ભારતમાં કોરોના રસીકરણ વિશ્વભરમાં ચાલી રહેલી રસીકરણના માપદંડ પ્રમાણે ચાલી રહ્યું છે.
- આપણે 11થી 14 એપ્રિલ દરમિયાન વેક્સીનેશન ફેસ્ટિવલ (રસીકરણ ઉત્સવ)નું આયોજન કરી શકીએ. જેમાં પ્રત્યેક જિલ્લામાં કોઈ પણ જાતના બગાડ સાથે વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે.

- આપણે યુવાનોને કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.
- આપણે ફરીથી માસ્ક અંગે લોકોમાં જાગૃતિ લાવવી પડશે.
- હું તમામ ગવર્નરોને વિનંતી કરું છું કે તેઓ કોરોના વિરુદ્ધની લડાઈમાં જાગૃતિ વધારવા ચૂંટાયેલા પ્રતિનિધીઓ સાથે કામ કરે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો