એપશહેર

રાજ્યોનો કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા રદ કરવાનો નિર્ણય નિરર્થકઃ UGC

Reported byDhananjay Mahapatra | TNN 14 Aug 2020, 8:57 am
I am Gujarat exam 1
પ્રતિકાત્મક તસવીર
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારનો કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા કેન્સલ કરવાનો નિર્ણય નિરર્થક છે અને તે 30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા લેવાના તેના આદેશને રદ કરી શકે નહીં.

UGCએ કહ્યું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 કે એપિડમિક ડિસીઝ એક્ટ 1897માં રાજ્ય સરકાર પાસે સત્તા નથી કે તેઓ હાયર એજ્યુકેશનને અસર થતા નિર્ણય લઈ શકે. UGC એક્ટ હેઠળ, માત્ર UGC જ આ પ્રકારનો આદેશ આપી શકે છે. આથી રાજ્ય સરકારનો પરીક્ષા કેન્સલ કરવાનો નિર્ણય હાયર એજ્યુકેશનની ગુણવત્તા નક્કી કરવાની કાયદાકીય બાબતમાં અતિક્રમણ છે. UGCએ આગળ કહ્યું કે, છેલ્લા વર્ષની પરીક્ષા શૈક્ષણિક કરિયર માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે.

આ પહેલાના નિવેદનમાં UGCએ કહ્યું હતું કે, 640 યુનિવર્સિટીઓએ પોતાનો રિસ્પોન્સ સબમીટ કર્યો હતો, જેમાંથી 400થી વધારેએ કાં તો છેલ્લા વર્ષની પરીક્ષા લઈ લીધી છે અથવા સૂચવેલી મેથડથી પરીક્ષા લેવાનું પ્લાનિંગ કરી રહી છે.

છેલ્લી સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જસ્ટીસ અશોક ભુષણની આગેવાનીવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જણાવ્યું કે, છેલ્લા વર્ષની પરીક્ષા કેન્સલ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં નાખશે કારણ કે પરીક્ષા વિના તેમને મળતી ડિગ્રીને UGCની માન્યતા મળશે નહીં.

UGCએ એડવોકેટ અપૂર્વ કુરુપ દ્વારા સોગંધનામું ફાઈલ કરીને કહ્યું કે, રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટથી કમિશન પાસે રહેલી સત્તા પર અતિક્રમણ કરી શકે નહીં. રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 18 જૂને નિર્ણય લીધો હતો કે પ્રોફેશનલ અને નોને પ્રોફેશનલ કોર્સના છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા યોજાશે નહીં. આ સાથે 13 જુલાઈએ પણ પરીક્ષા ન યોજવાનો નિર્ણય લેવાયો જે UGCની 29 એપ્રિલ અને 6 જુલાઈની ગાઈડલાઈન્સનો ભંગ છે, જેનું કોલેજ અથવા ઈન્સ્ટીટ્યૂટે પાલન કરવું જોઈએ.

કમિશને ભાર મૂક્યો કે, વિદ્યાર્થીની શૈક્ષણિક લાઈફમાં છેલ્લા વર્ષની પરીક્ષા ખૂબ મહત્વપૂર્ણ હોય છે. જો છેલ્લા વર્ષની અથવા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં ન આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્યને ક્યારે ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થશે, આથી UGCએ તેમના ભવિષ્ય બચાવવા માટે તથા તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકાર યુજીસીની ગાઈડલાઈન્સ પર પોતાનો નિર્ણય આપીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના ગ્રેજ્યુએટ કે પાસ કરાવી શકે નહીં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો