એપશહેર

દિલ્હીમાં કાપડના ગોડાઉનમાં લાગી આગ, 9નાં મોત અનેક લોકો ઘાયલ

Yogesh Gajjar | I am Gujarat 23 Dec 2019, 8:39 am
નવી દિલ્હીઃ દિલ્હીના કિરાડીમાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાથી 9 લોકોનાં મોત નિપજ્યા છે. હાલ સુધી મળેલી જાણકારી અનુસાર આગ લાગવાથી 3 લોકોના મોત ઘટના સ્થળે મોત થઈ ગયા. જ્યારે અન્ય 6 લોકોના સારવાર દરમિયાન મોત થયા. કહેવાઈ રહ્યું છે કે આગ લાગી તે સમયે ગોડાઉનમાં કેટલાક લોકો ઊંઘી રહ્યા હતા. આગની જાણકારી મળતા ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમતા બાદ આગ પર કાબૂ મેળવ્યો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક પોલીસે જણાવ્યું કે, આગની જાણકારી અમને પીસીઆર કોલ દ્વારા મળી. પોલીસ અનુસાર, પહેલા ઘરમાં આગ લાગવાની સૂચના મળી, પરંતુ અમે ત્યાં પહોંચીને જોયું તો આગ ગોડાઉનમાં લાગી હતી. જે સમયે આગ લાગી હતી તે દરમિયાન ગોડાઉનમાં લોકો ઊંઘી રહ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બધા લોકોને નિકટની સંજય ગાંધી હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે. પોલીસે જણાવ્યું કે, ગોડાઉનમાં સુરક્ષાના ઉપાયો નહોતા કરાયા. આગ બુજાવવા માટે સેફ્ટીના સાધનો નહોતા અને ગોડાઉનમાંથી નીકળવા માટે માત્ર એક જ સીડી હતી. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર મૃતકોમાં મહિલાઓ પણ શામેલ છે. ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકોનું કહેવું છે કે ચાર માળની બિલ્ડીંગના નીચેના ભાગમાં ગોડાઉન છે જેમાં સૌથી પહેલા આગ લાગી. મૃતકોમાં બધા લોકો આગ લાગવા દરમિયાન ઉપરના માળ પર ઊંઘી રહ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો