એપશહેર

મોદી 2.0: પહેલો નિર્ણય, શહીદોના બાળકોની સ્કોલરશિપ વધી

Gaurang Joshi | I am Gujarat 31 May 2019, 6:59 pm
નવી દિલ્હીઃ સતત બીજી વાર વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં સૌથી પહેલો નિર્ણય શહીદોના બાળકોને અપાતી સ્કોલરશિપમાં વધારો કરવાનો કર્યો છે. શુક્રવારે મોદી 2.0ની પહેલી કેબિનેટ બેઠકમાં નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ ‘પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમ’માં મોટા બદલાવને મંજૂરી આપી છે. હવે શહીદોના છોકરાઓને દર મહિને 2000 રુપિયાની જગ્યાએ 2500 રુપિયાની સ્કોલરશીપ મળશે. આ જ રીતે છોકરીઓને હવે 2250 રુપિયાની જગ્યાએ દર મહિને 3000 રુપિયા સ્કોલરશિપ મળશે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો આટલું જ નહીં, સ્કોલરશિપ સ્કીમના વિસ્તારને વધારતા હવે રાજ્યના પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આતંકી અથવા નક્સલી હુમલામાં શહીદ થયેલા રાજ્ય પોલીસના જવાનો/ઓફિસર્સના બાળકોને હવે સ્કોલરશિપ મળશે. તેમને વાર્ષિક 500 રુપિયાની સ્કોલરશિપ મળશે. આ નિર્ણયની જાણકારી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે,’અમારી સરકારનો પહેલો નિર્ણય તેમને સમર્પિત છે. જેઓ ભારતની રક્ષા કરે છે. નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ પીએમ સ્કોલરશિપ સ્કીમમાં મોટા ફેરફારને મંજૂરી મળી છે. જેમાં આતંકી અથવા માઓવાદી હુમલાઓમાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના બાળકોની સ્કોલરશિપ વધારવાનો નિર્ણય પણ સમાવેશ થયો છે.’ નેશનલ ડિફેન્સ ફંડની સ્થાપના 1962માં કરવામાં આવી હતી. હાલ આ ફંડનો ઉપયોગ સશસ્ત્ર દળ, અર્ધ સૈનિક દળ અને આરપીએફના સભ્યો ઉપરાંત તેમના આશ્રિતોના કલ્યાણ માટે પણ થાય છે. જે હેઠળ આવતી પીએમ સ્કોલરશિપનો ઉદ્દેશ્ય શહીદોની વિધવાઓ અને તેમના બાળકોને ટેક્નિકલ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પ્રોત્સાહિત કરવાનો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો