એપશહેર

કૂવામાં પડેલા વાછરડાને બચાવવા ઉતરેલા પાંચ લોકોના મોત, જેમાંથી ચાર એક જ પરિવારના

પાંચેય લોકો ગાયના વાછરડાને બચાવી લીધું પરંતુ તેમના પોતાના શ્વાસ અટકી ગયા. સૌથી મોટી વાત એ છે કે વાછરડું મરી ગયેલા પાંચ લોકોમાંથી કોઈનું નથી.

I am Gujarat 9 Sep 2020, 4:58 pm
ગોંડાઃ ઉત્તર પ્રદેશના ગોંડામાં મંગળવારે એક દુખદ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ગાયનું વાછરડું અહીં સુકા કૂવામાં પડી ગયું હતું. તેને બચાવવા માટે કુવામાં ઉતરતા લોકોના ઝેરી ગેસના લિકેજને કારણે મોત થઈ ગયા. મૃત્યુ પામેલા પાંચ લોકોમાંથી ચાર એક જ પરિવારના છે. આ ઘટના બાદ પાલિકાની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તમામના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પાંચેય લોકો ગાયના વાછરડાને બચાવી લીધું પરંતુ તેમના પોતાના શ્વાસ અટકી ગયા. પોલીસે કહ્યું કે સૌથી મોટી વાત એ છે કે વાછરડું મરી ગયેલા પાંચ લોકોમાંથી કોઈનું નથી.
I am Gujarat five die in gonda while rescuing calf from well
કૂવામાં પડેલા વાછરડાને બચાવવા ઉતરેલા પાંચ લોકોના મોત, જેમાંથી ચાર એક જ પરિવારના


આ ઘટના ગોંડામાં મહારાજગંજ ચોકીના રાજા મહોલ્લામાં બની હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે ભોગ બનેલા લોકોની ઓળખ વૈભવ (18), દિનેશ ઉર્ફે છોટુ (30), રવિશંકર ઉર્ફે રિંકુ (36) અને વિષ્ણુ દયાલ (35) છે. ચારેય લોકો એક જ પરિવારના હતા. જ્યારે, મન્નુ સૈની (35) ભાડુવા કિન્ડર વિસ્તારનો રહેવાસી હતો.

પોલીસે જણાવ્યું હતું કે દિનેશ અને રવિશંકર બંને ભાઈઓ હતા અને તેમના પરિવારના એકમાત્ર કમાતા વ્યક્તિ હતા. વિષ્ણુ દિનેશ અને રવિનો પિતરાઇ ભાઈ હતો. વૈભવ તેમના પરિવારનો હતો. એસપી ગોંડા રાજ કરણ નય્યરે જણાવ્યું હતું કે બધા શાકભાજી અને ફળો વેચીને પરિવારનું પાલણ પોષણ કરતા હતા.

ગોંડાના ડી.એમ. નીતિન બંસલે જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે બપોરે 3 વાગ્યે બની હતી. વિષ્ણુએ નજીકના કૂવામાંથી વાછરડાનો અવાજ સાંભળળ્યો. તેને બચાવવા તે કૂવામાં ઉતરી ગયો. જ્યારે તે વાછરડીને કાઢવામાં સફળ ન થયો, ત્યારે તેણે મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. પાછળથી વૈભવ પણ વિષ્ણુની મદદ કરવા કૂવામાં ઉતર્યો. તે પણ ત્યાં ફસાઈ ગયો. જ્યારે તે લોકોએ મદદ માટે વિનંતી કરી, ત્યારે દિનેશ અને રવિશંકર તેમની મદદ કરવા કૂવામાં ઉતર્યા હતા.

પાંચે મળીને વાછરડાને કૂવામાંથી બહાર કાઢ્યું પણ તેઓ તેમાં જ ફસાઈ ગયા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, તે કુવામાં અંદર ગેસને કારણે તેમનો શ્વાસ રૂધાઈ ગયો. તેમનો અવાજ સાંભળીને આસપાસના લોકો તેમને બચાવવા દોડી ગયા હતા. તેમને કૂવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ પાંચ કલાકની કામગીરી બાદ પાંચેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

સીએમ યોગીએ 2-2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સીએમ યોગીએ મૃતકના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે. સીએમ યોગીએ તમામ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

Read Next Story