એપશહેર

જમીન પર સૂઈ રહેલા પરિવાર પર વાંદરાએ પાડી દીવાલ, 5 સભ્યોના મોત

TNN 18 Jul 2020, 3:49 pm

શાહજહાંપુર: ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એક દુર્ઘટનામાં 5 લોકોના દર્દનાક મોત થયા છે. અહીં એક મકાનમાં રૂમની બહાર સૂઈ રહેલા પરિવાર પર વાંદરાઓએ દીવાલ પાડી દીધી. દીવાલના કાટમાળ નીચે દબાઈ જતા માતા સહિત 4 બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

એવું જાણવા મળ્યું છે કે ગુરુવારના રોજ રાત્રે માતાએ બાળકોને મકાનમાં રૂમની બહાર જમીન પર સૂવડાવ્યા હતા. માતા પણ આ બાળકોની પાસે સૂઈ ગઈ હતી. પણ, સવારે લગભગ 6 વાગ્યે પાડોશમાં બે માળના મકાનની છત પર વાંદરાઓએ પાકી દીવાલ પાડી દીધી. આ દીવાલની કેટલીક ઈંટો જમીન પર સૂઈ રહેલા આ પરિવાર પર આવીને પડી. જેમાં માતા અને ચાર બાળકો સહિત કુલ 5 લોકોના મોત થયા. અહીં રહેતી મહિલાનું નામ શબનમ હતું કે જેના કુલ 6 બાળકો છે. આ દુર્ઘટનામાં આ મહિલા સહિત કુલ 4 બાળકોના મોત થયા. એક બાળક ઈજાગ્રસ્ત છે જ્યારે અન્ય બાળક દુર્ઘટનાની 10 મિનિટ પહેલા જ ત્યાંથી જતો રહ્યો હોવાથી તેનો જીવ બચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંદરાઓએ આ દીવાલ પાડી હતી. જેના કારણે એક જ પરિવારના કુલ 5 સભ્યોના મોત થયા છે. તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી પણ ચાલુ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી પીડિત પરિવારને રૂપિયા ચાર લાખની આર્થિક સહાયતાની જાહેરાત કરવામાં આવી છે.

I am Gujarat five persons of a family died after wall collapsed by monkeys
જમીન પર સૂઈ રહેલા પરિવાર પર વાંદરાએ પાડી દીવાલ, 5 સભ્યોના મોત


એમ્બ્યુલન્સ નહીં આવતા કોરોનાનો દર્દી મદદ માગવા ચાલતો CMના બંગલે પહોંચ્યો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો