એપશહેર

'અગ્નિપથ હિંસામાં સામેલ ન હતા': અગ્નિવીર અરજદારોએ આપવું પડશે સોગંધનામુ

રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક બાદ યોજના અંગે વિસ્તૃત જાણકારી આપતા માટે સેનાના ત્રણેય મુખ્ય અધિકારીઓએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં ડીએમએના એડિશનલ સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કેન્દ્રની યોજનાના સંબંધમાં પૂરી જાણકારી આપી હતી. આ દરમિયાન તેમનું ફોકસ એ મુદ્દાઓ પર રહ્યું હતું કે યુવાનોને સમજાવવામાં આવે કે આ યોજના તેમના માટે ફાયદાકારક છે.

Edited byચિંતન રામી | Agencies 19 Jun 2022, 5:00 pm
કેન્દ્રની નવી સૈન્ય ભરતી યોજના અગ્નિપથ માટે અરજી કરનારા ઉમેદવારોએ હવે એફિડેવિટ (સોગંધનામુ) આપવી પડશે કે તેઓ દેશભરમાં ફેલાયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં સામેલ ન હતા. રવિવારે આર્મી, એરફોર્સ અને નેવીના ટોચના અધિકારીઓએ પત્રકાર પરિષદ બોલાવી હતી જેને સંબોધિત કરતા આર્મીના ટોચના અધિકારી લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું કે તમામ અગ્નિવીરોએ સોગંધનામુ આપીને સ્પષ્ટ કરવું પડશે કે તેમણે ક્યારેય કોઈ પણ હિંસક પ્રદર્શન કે આગજનીની ઘટનાઓમાં ભાગ લીધો ન હતો. સશસ્ત્ર દળોમાં શિસ્ત એક પાયાની જરૂરીયાત છે. જો કોઈ પણ ઉમેદવાર વિરુદ્ધ કોઈ એફઆઈઆર છે તો તેઓ તેનો ભાગ બની શકશે નહીં.
I am Gujarat anil puri

'અગ્નિપથ' યોજના: યુવાનોની નારાજગી દૂર કરવા માટે 5 નવી જાહેરાતરક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક બાદ યોજના અંગે વિસ્તૃત જાણકારી આપતા માટે સેનાના ત્રણેય મુખ્ય અધિકારીઓએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં ડીએમએના એડિશનલ સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કેન્દ્રની યોજનાના સંબંધમાં પૂરી જાણકારી આપી હતી. આ દરમિયાન તેમનું ફોકસ એ મુદ્દાઓ પર રહ્યું હતું કે યુવાનોને સમજાવવામાં આવે કે આ યોજના તેમના માટે ફાયદાકારક છે. તેમણે કહ્યું હતું કે ભારતીય સેનામાં 30 વર્ષથી વધુ ઉંમરના સૈનિકો મોટી સંખ્યામાં છે. સેના જવાનોની ઉંમર ચિંતાજનક છે. તેવામાં અમારે સેનામાં જોશ અને હોશ બંનેનું કોમ્બિનેશન ઈચ્છીએ છીએ.
સૈનિકોની ભરતી પ્રક્રિયામાં ક્રાંતિકારી બદલાવ લાવશે 'અગ્નિપથ' યોજના: રાજનાથ સિંહનોંધનીય છે કે કેન્દ્રની મોદી સરકારે 14 જૂને સૈન્યમાં ભરતી માટે 'અગ્નિવીર' યોજના લોન્ચ કરી હતી. જેમાં 17થી 22 વર્ષના યુવાનોને સેનામાં ભરતી કરવાની જોગવાઈ છે. આ યોજનાની જાહેરાત બાદ દેશના યુવાનોમાં નારાજગી ફેલાઈ ગઈ હતી અને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણામાં વિરોધ પ્રદર્શન હિંસક બની ગયા હતા. શુક્રવારે તેલંગાણામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર પ્રદર્શન કારીઓએ ત્રણ ટ્રેનો સળગાવી મૂકી હતી.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો