એપશહેર

6 ઓપરેશન થિએટર, 55નો સ્ટાફ, 12 કલાકની સર્જરી...દેશમાં પહેલીવાર એકસાથે થયા 3 લિવર ટ્રાન્સપ્લાન્ટ

3 દર્દી હતા જેમને જીવવા માટે લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી, સામે તેમના સ્વજનો હતા, જે ડોનેટ કરવા તૈયાર હતા, પરંતુ અલગ અલગ કારણોસર તેમના ઓર્ગન મેચ નહોતા થઈ રહ્યા. પછી ગુરુગ્રામની આ હોસ્પિટલના ડોક્ટરોએ ઓર્ગન સ્વેપનો રસ્તો અજમાવ્યો. પ્રત્યેક ડોનરે અંગદાન કર્યું પણ પોતાના સ્વજનને નહીં પણ કોઈ એક અજાણ્યા દર્દીને.

Authored byIpsita Pati | Edited byZakiya Vaniya | TNN 23 Dec 2022, 11:16 am

હાઈલાઈટ્સ:

  • દેશમાં પહેલીવાર એકસાથે થયા 3 ટ્રાન્સપ્લાન્ટ.
  • છ ઓપરેશન થિએટર તૈયાર કરવામાં આવ્યા.
  • ડોનરોએ એકબીજાના સ્વજનોને આપ્યું લિવર.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat liver transplant
પ્રતિકાત્મક તસવીર
ગુરુગ્રામ- સપ્ટેમ્બર મહિનાની એક સવારે ગુરુગ્રામમાં આવેલી મેદાંતા હોસ્પિટલમાં ખૂબ ચહલપહલ હતી. ડોક્ટર અને નર્સ સહિત 55 સભ્યોની ટીમ કંઈક એવુ કરવા જઈ રહી હતી જે પહેલા ક્યારેય કરવામાં નહોતુ આવ્યું. 6 ઓપરેશન થિએટર તૈયાર કરવામાં આવ્યા હતા. પ્રત્યેક ઓટીમાં એક દર્દી હતો. ત્રણ એવા લોકો હતા જે પોતાનું લિવર ડોનેટ કરવાના હતા જ્યારે ત્રણ દર્દી હતા જેમનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનુ હતું. 12 કલાક ચાલેલી આ મેરેથોન સર્જરી સફળ રહી અને દેશમા પહેલીવાર 3 લોકોનું એક સાથે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
કોરોના અંગે ભારત એલર્ટ, ફરી માસ્ક, હેન્ડ સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ પર ભાર
આ ત્રણ દર્દીઓને ત્રણ મહિનાથી વધારે સમય સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. ગુરુવારના રોજ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે દર્દી સાજા થઈ રહ્યા છે. મધ્યપ્રદેશના બિઝનસમેન સંજીવ કપૂર (51) અને દિલ્હીના એક ગૃહિણી આદેશ કૌર (59)નું લિવર ફેઈલ થઈ ગયુ હતું. ઉત્તરપ્રદેશના વેપારી સૌરભ ગુપ્તા (32) એડવાન્સ લિવર કેન્સરથી પીડિત હતા. આ દર્દીઓ એક વર્ષથી ડોનરની રાહ જોઈ રહ્યા હતા. સમય પસાર થઈ રહ્યો હતો અને તેમની આશા પણ જાણે ઘટી રહી હતી.

હોસ્પિટલના મુખ્ય લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર અરવિંદર સોઈન જણાવે છે કે, અમે વર્ષ 2009માં એકસાથે ઓર્ગન સ્વેગના કન્સેપ્ટની શરુઆત કરી હતી. અમુક દર્દી એવા હોય છે જેમના સંબંધીઓ સ્વસ્થ હોવા છતાં ઓર્ગન ડોનેટ નથી કરી શકતા કારણકે બ્લડ ગ્રુપ અથવા લિવર સાઈઝ મેચ નથી થતી હોતી. પાછલા 13 વર્ષમાં અમે આ પ્રકારની લગભગ 46 સર્જરી કરી છે. અને હવે પહેલીવાર 3-વે સર્જરી પણ હાથ ધરી છે. ડોક્ટર સોઈન, ડોક્ટર અમિત રસ્તોગી અને ડોક્ટર પ્રશાંતના નેતૃત્વ હેઠળ આ તમામ સર્જરી હાથ ધરવામાં આવી હતી.

‘ધન્ય છે એ માતા-પિતા જેમના આવા બાળકો હોય’, કોર્ટે 17 વર્ષની દીકરીને આપી પિતાને લિવર ડોનેટ કરવાની મંજૂરી
તમને જણાવી દઈએ કે પ્રત્યેત ડોનર કોઈ એક દર્દી સાથે સંકળાયેલ હતો. પરંતુ કમ્પેટિબિલિટીને કારણે તે પોતાના પરિવારના સભ્યને ઓર્ગન ડોનેટ નહોતા કરી શકતા. માટે હોસ્પિટલે એક્ષચેન્જનો રસ્તો અપનાવ્યો અને 11મી સપ્ટેમ્બરના રોજ સર્જરી કરવામાં આવી. તમામ પરિવારો આ માટે સહમત થઈ ગયા હતા. આમ જોવા જઈએ તો દરેક ડોનર બે લોકોનો જીવ બચાવી રહ્યા હતા, એક અજાણ્યા વ્યક્તિનો અને એક પોતાના સ્વજનનો.

ડોક્ટર સોઈને જણાવ્યું કે, સંજીવ કપૂરના પત્ની મનીષા ડોનર હતા, પણ બ્લડ ગ્રુપ કમ્પેટિબલ ન હોવાને કારણે ટ્રાન્સપ્લાન્ટ નહોતા કરી શકતા. સૌરભના પત્ની ચાંદની અને આદેશના દીકરા હરમન બ્લડ ગ્રુપ મેચ ન થવાને કારણે પરિવારમાં ઓર્ગન ડોનેટ નહોતા કરી શકતા. આ સર્જરી એવી રીતે પ્લાન કરવામાં આવી હતી કે, ત્રણ દર્દીઓને યોગ્ય મેચ મળી રહે. હરમનનું લિવર સૌરભને ડોનેટ કરવામાં આવ્યું, સૌરભની પત્ની ચાંદનીએ સંજીવને લિવર ડોનેટ કર્યું અને સંજીવના પત્ની મનિષાએ આદેશને.

Read Next Story