એપશહેર

કર્ણાટકના ભૂતપૂર્વ CM યેદિયુરપ્પાની પૌત્રી પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની પૌત્રી સૌંદર્યા નીરજનો મૃતદેહ તેના બેંગલુરૂના નિવાસ સ્થાનેથી મળી આવ્યો

I am Gujarat 28 Jan 2022, 5:28 pm
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની પૌત્રી (મોટી પુત્રીની પુત્રી) બેંગલુરુ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 30 વર્ષીય સૌંદર્યા પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે આ અંગે અનનેચરલ ડેથનો કેસ નોંધ્યોછે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે સૌંદર્યાએ આત્મહત્યા કરી હોવી જોઈએ પરંતુ તપાસ ચાલી રહી છે.
I am Gujarat yediurappa


સૌંદર્યા નીરજ એક ડોક્ટર છે અને તે એમએસ રમૈયા હોસ્પિટલમાં કામ કરતા હતા. તેમણે 2019માં ડોક્ટર નીરજ સાથે લગ્ન કર્યા હતા. આ ઘટના સવારે 10 વાગ્યે ત્યારે સામે આવી જ્યારે ઘરના નોકરે વારંવાર બારણું ખખડાવ્યું હોવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. બાદમાં તેણે ડોક્ટર નીરજને ફોન કર્યો હતો.

નીરજે આવીને દરવાજો ખોલ્યો હતો અને ત્યારે સૌંદર્યા બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રથમદર્શીએ આ આત્મહત્યાનો કેસ છે.

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થયા બાદ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ, કેટલાક મંત્રીઓ અને ભારતના કેટલાક સીનિયર કાર્યકર્તાઓ યેદિયુરપ્પાના ઘરે પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કરીને પરિવારના સભ્યોને દિલાસો આપ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો