નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઓફિશ્યિલ ભોજન સમારોહમાં હાજરી નહીં આપે. સૂત્રોએ આ જાણકારી આપી છે. 25 ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ સમારોહ માટે પહેલા મનમોહન સિંહે સ્વીકાર કર્યો હતો. જોકે, ત્યારબાદ તેમણે આ ભોજન સમારોહમાં હાજરી આપવા માટે અસમર્થતા દર્શાવી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઆ બાબતને લઈને નારાજ છે કોંગ્રેસમનમોહન સિંહના નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેમણે ભોજન સમારોહમાં હાજરી ન આપવા અંગે રાષ્ટ્રપતિ કાર્યાલય સમક્ષ ખેદ વ્યક્ત કર્યો હતો. મોદી સરકાર સમક્ષ વિપક્ષ કોંગ્રેસની નારાજગી એ વાતને લઈને છે કે તેમના ટોચના નેતાઓને ભારત આવેલા યુએસ પ્રેસિડન્ટ સાથે પરંપરા અનુસાર બેઠકની પરવાનગી આપવામાં આવી નહોતી.આ પણ વાંચોઃ દિલ્હી હિંસામાં ષડયંત્ર? ટ્રમ્પ સામે છબી બગાડવાનો પ્રયાસતોતિંગ ખર્ચ પર ઉઠાવ્યા છે સવાલલોકસભામાં કોંગ્રેસના સભ્ય અધીર રંજન ચૌધરીએ પણ પાર્ટીના ટોચના નેતાઓને નિમંત્રણ નહીં આપવાના વિરોધમાં ભોજનમાં હાજરી ન આપવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષ પાર્ટીઓ પહેલા જ અમેરિકન રાષ્ટ્રપતિના સ્વાગતમાં થઈ રહેલા તોતિંગ ખર્ચ પર સવાલ ઉઠાવી ચૂકી છે. જુઓ, ડોનાલ્ડ ટ્રમ્પની કારમાંથી આવો દેખાતો હતો રોડ શો