એપશહેર

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જીત્યું લોકોનું દિલ, થયું આવું

Gaurang Joshi | I am Gujarat 21 Nov 2017, 6:03 pm
I am Gujarat former president pranab mukherjee said please do not stand
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જીત્યું લોકોનું દિલ, થયું આવું


જીત્યું લોકોનું દિલ

દેશના પૂર્વ રાષ્ટ્રપતિને તમે ભલે ઓછું બોલતાં સાંભળ્યા હોય પરંતુ પ્રણવ મુખર્જી પોતાની હાજરજવાબી માટે જાણીતા છે. પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ પદમાંથી રિટાયર થયાં પછી હવે પર્સનલ કામમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિએ વિનમ્ર જવાબ આપીને લોકોના દિલ જીતી લીધું હતું.

કહ્યું,’હવે હું રાષ્ટ્રપતિ નથી’

રાષ્ટ્રપતિ જસ્ટિસ વી.આર.કૃષ્ણ અય્યરની 102મી જયંતી પ્રસંગે આવ્યાં હતાં. જ્યાં તેમણે ભાષણ આપ્યું હતું. ભાષણ આપ્યાં પછી રાષ્ટ્રપતિ પોતાની સીટ તરફ જઇ રહ્યાં હતાં ત્યારે કાર્યક્રમમાં આવેલા દરેક લોકો ઉભાં થઇ ગયાં હતાં અને પૂર્વ રાષ્ટ્રપતિના બેસવાની રાહ જોઇ રહ્યાં હતાં. જેથી તેઓ પણ બેસી શકે. આ જોઇને પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે મહેરબાની કરી બેસી જાઓ, ઔપચારિકતા પણ નહીં, કારણકે હવે હું રાષ્ટ્રપતિ નથી રહ્યો.

શું કહ્યું પોતાના ભાષણમાં

કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં આયોજીત આ કાર્યક્રમમાં ડો.પ્રણવ મુખર્જીએ વી.આર.કૃષ્ણ અય્યર વિશે અનેક વાતો જણાવી હતી. આ કાર્યક્રમમાં ડો.પ્રણવ મુખર્જીએ વી.આર.કૃષ્ણ અય્યરને ભારત માતાના મહાન સપૂત ગણાવ્યાં હતાં. તેણે જણાવ્યું હતું કે અલગ રાજનૈતિક વિચારધારા હોવા છતાં અમારી વચ્ચે મીઠાશભર્યા સંબંધો હતાં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો