એપશહેર

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં એડમિટ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં એડમિટ થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી અને ગત એક સપ્તાહમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અને આઈસોલેટ થવા સલાહ આપી છે.

I am Gujarat 10 Aug 2020, 4:38 pm
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે બપોરે તેમણે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી. પ્રણવ મુખર્જીએ ટ્વીટમાં લખ્યું કે, આ વખતે હોસ્પિટલની યાત્રા એક અલગ પ્રક્રિયા માટે, હું કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છું.
I am Gujarat Pranab Mukherjee


પ્રણવ મુખર્જીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, ગત એક સપ્તાહમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, હું તેમને અપીલ કરું છું કે તે બધા ટેસ્ટ કરાવે અને આઈસોલેટ થઈ જાય.

પ્રણવ મુખર્જી કોરોના વાયરસના ઝપેટમાં આવ્યા બાદ તેમના માટે પ્રાર્થનાઓ પણ શરૂ થઈ ગઈ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પણ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતી ટ્વીટ કરી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનું સંકટ દેશ પર ઘેરાતું જઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં ઘણા વીવીઆઈપી પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગત દિવસોમાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાના પગલે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તે ઉપરાંત અર્જુન મેઘવાલ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ગત દિવસોમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને પણ કોરોના થતા લાંબો સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો