એપશહેર

પૂર્વ સંરક્ષણ મંત્રી અને ભાજપના પાયાના નેતા જસવંતસિંહનું નિધન થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓએ જસવંતસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

I am Gujarat 27 Sep 2020, 9:32 am
નવી દિલ્હીઃ પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના સંસ્થાપક સભ્યોમાંથી એક જસવંતસિંહનું નિધન થઈ ગયું છે. તેઓ 82 વર્ષના હતા અને પાછલા 6 વર્ષથી કોમામાં હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈના નેતૃત્વવાળી સરકારમાં તેમણે 1996થી 2004 વચ્ચે સંરક્ષણ, વિદેશ અને નાણા મંત્રાલયની જવાબદારી સંભાળી. વર્ષ 2014માં ભાજપે જસવંતસિંહને બાડમેરની લોકસભા ચૂંટણીની ટિકિટ નહોતી આપી. નારાજ જસવંતસિંહ પાર્ટી છોડીને અપક્ષ ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા. એ જ વર્ષે પડ્યા બાદ તેમના માથામાં ગંભીર ઈજા થયા બાદ તેઓ કોમામાં સરી પડ્યા હતા.
I am Gujarat former union minister and bjp leader jaswant singh passes away
પૂર્વ સંરક્ષણ મંત્રી અને ભાજપના પાયાના નેતા જસવંતસિંહનું નિધન થયું


વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "રાજકારણ અને સમાજને અલગ રીતે જોવાની તેમની દૃષ્ટીના કારણે તેઓ હંમેશા યાદ રહેશે. તેમણે ભાજપને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે. તેમના પરિવાર અને સમર્થકોને શક્તિ મળે. ઓમ શાંતિ" એક અન્ય ટ્વિટમાં વડાપ્રધાને લખ્યું છે કે, "ઉત્કૃષ્ઠ રીતે જસવંતસિંહે દેશની સ્થિતિ સંભાળી, એક સૈનિક અને પછી રાજકીય નેતા તરીકે તેમણે સારી ભૂમિકા ભજવી. અટલ બિહારી વાજપેઈની સરકારમાં તેમણે નાણાકીય સ્થિતિને દુનિયામાં સારી સ્થિતિમાં પહોંચાડવામાં અને વિદેશ મંત્રાલય તથા સંરક્ષણ મંત્રી તરીકે મહત્વની કામગીરી કરી. તેમના નિધનનું દુઃખ છે."

બીજી તરફ હાલના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ જસવંતસિંહના નિધન પર શોખ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં સંરક્ષણ મંત્રી તરીકે જસવંતસિંહે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "રાજકારણ અને સમાજને અલગ રીતે જોવાની તેમની દૃષ્ટીના કારણે તેઓ હંમેશા યાદ રહેશે. તેમણે ભાજપને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે. તેમના પરિવાર અને સમર્થકોને શક્તિ મળે. ઓમ શાંતિ" એક અન્ય ટ્વિટમાં વડાપ્રધાને લખ્યું છે કે, "ઉત્કૃષ્ઠ રીતે જસવંતસિંહે દેશની સ્થિતિ સંભાળી, એક સૈનિક અને પછી રાજકીય નેતા તરીકે તેમણે સારી ભૂમિકા ભજવી. અટલ બિહારી વાજપેઈની સરકારમાં તેમણે નાણાકીય સ્થિતિને દુનિયામાં સારી સ્થિતિમાં પહોંચાડવામાં અને વિદેશ મંત્રાલય તથા સંરક્ષણ મંત્રી તરીકે મહત્વની કામગીરી કરી. તેમના નિધનનું દુઃખ છે."

બીજી તરફ હાલના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ જસવંતસિંહના નિધન પર શોખ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં સંરક્ષણ મંત્રી તરીકે જસવંતસિંહે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો