એપશહેર

કોલસા કૌભાંડમાં પૂર્વ કેન્દ્રિય મંત્રીને સ્પેશ્યલ CBI કોર્ટે 3 વર્ષ જેલની સજા ફટકારી

I am Gujarat 26 Oct 2020, 12:06 pm
પૂર્વ કેન્દ્રિય મંત્રી દિલીપ રેને કોલસા કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની એક સ્પેશ્યલ CBI કોર્ટે 1999માં ઝારખંડમાં કોલસા બ્લોકની ફાળવણીમાં કથિત અનિયમિતતાને લઈને આ ચૂકાદો આપ્યો છે. કોર્ટે આ મામલામાં હાલમાં જ દોષી મળી આવેલા અન્ય બે આરોપીઓને પણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. મામલામાં સીબીઆઈ તરફથી પૂર્વ કેન્દ્રિય મંત્રી માટે ઉંમરકેદની સજાની માગણી કરાઈ હતી. સજા પર સુનાવણી 14મી ઓક્ટોબરે ખતમ થશે.
I am Gujarat dilip


દિલીપ રે 1999માં અટલ બિહારી સરકારમાં રાજ્યમંત્રી હતા. રાઉજ એવન્યૂ કોર્ટમાં સ્પેશ્યલ જજ ભરત પરાશરે દિલીપ રેને 6 ઓક્ટોબરે દોષી જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ લોકોએ કોલસા બ્લોકની ફાળવણી અને ખરીદીને લઈને એક ષડયંત્ર રચ્યું હતું. આ મામલે 1999માં કોલસા મંત્રાલયની 14મી સ્ક્રીનિંગ કમિટી દ્વારા કેસ્ટ્રન ટેકનોલોજી લિમિટેડના પક્ષમાં ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં 105.153 હેક્ટર કોલસા ખાણની ફાળવણીથી સંબંધિત છે.

કોલસા કૌભાંડ મામલે આ પહેલી સજા
કોલસાની ખાણની ફાળવણીમાં ગુનો સાબિત થવાનો આ પહેલા મોમલો છે, જેમાં વધુમાં વધુ સજા આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે. દિલીપ રેને ભારતીય દંડ સંહિતાની કલમ 409 સહિત જુદી જુદી કલમો હેઠળ દોષી સાબિત કરાયા હતા. દોષીઓએ કોર્ટમાં તેમની વૃદ્ધવસ્થા અને પહેલા અન્ય કોઈ કેસમાં દોષી સાબિત ન થયા હોવાનું જણાવીને કોર્ટને થોડી ઉદારતા દાખવવા કહ્યું હતું.

કોર્ટે 6 ઓક્ટોબરે દિલીપ રે ઉપરાંત કોલસા મંત્રાલયના તે સમયના બે વરિષ્ઠ અધિકારી, પ્રદીપ કુમાર બેનર્જી અને નિત્યા નંદ ગૌતમ, કેસ્ટ્રન ટેકનોલોજી લિમિટેડ, તેના નિર્દેશક મહેન્દ્ર કુમાર અગ્રવાલ અને કૈસ્ટ્રન માઈનિંગ લિમિટેડને પણ દોષી જાહેર કર્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો