એપશહેર

આ વર્ષે ભારતમાં માસ્કથી છૂટકારો મળશે? જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ

Indian experts on Mask: માસ્કથી છૂટકારો મેળવવો હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે એક્સપર્ટે જણાવ્યું

Authored byRahul Anand | Navbharat Times 24 Jun 2021, 8:25 am

હાઈલાઈટ્સ:

  • ભારતના નાગરિકોને ક્યારે માસ્કથી છૂટકારો મળશે?
  • માસ્કના છૂટકારા અંગે એક્સપર્ટ્સ શું કહી રહ્યા છે?
  • જો માસ્કથી છૂટકારો જોઈ તો હોય તો શું કરવું પડે?
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat get rid of masks in india this year learn what the experts say
આ વર્ષે ભારતમાં માસ્કથી છૂટકારો મળશે? જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ
નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના વાયરસની મહામારી ડિસેમ્બર 2019માં આવી હતી જેને દોઢ મહિનાનો સમય થઈ ગયો છે. આમ છતાં હજુ તેનાથી છૂટકારો નથી મળ્યો. આવામાં હવે લોકો વાયરસ ક્યારે જશે તેવા સવાલની સાથે માસ્કથી ક્યારે છૂટકારો મળશે તેને લઈને પણ ચિંતિત છે. એક તરફ વાયરસ જીવતો રહેવા માટે પોતાનો રંગ બદલી રહ્યો છે, તે મ્યુટેટ થઈ રહ્યો છે. વાયરસ જીવતા રહેવા માટે માણસના સેલ જોઈએ. જો વ્યક્તિ પોતાના વર્તનમાં ફેરફાર કરે, કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરે, માસ્ક પહેરે તો લડાઈ વ્યક્તિના હકમાં જશે. જેમાં સૌથી મહત્વનો ભાગ માસ્ક ભજવે છે. માસ્ક સોશિયલ વેક્સીનનું કામ કરે છે.

પહેલા 80% વસ્તીનું વેક્સીનેશન જરુરી

એલએનજેપીના ડિરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે માસ્ક જરુરી છે. તેનાથી છૂટકારો ત્યારે જ મળી શકે જ્યારે 80% વસ્તીનું વેક્સીનેશન થઈ જાય અને હર્ડ ઈમ્યુનિટી બની જાય. આવી સ્થિતિમાં ઈન્ફેક્શન ફેલાવાનો ખતરો ઓછો થઈ જાય છે અને વાયરસમાં બદલાવની સંભાવના પણ ઓછી થઈ જાય છે. જ્યાં સુધી દેશની વાત કરીએ તો માત્ર 5% વસ્તીને ડોઝ મળ્યા છે, જેમાં માસ્ક હટાવવાનું વિચારી પણ ના શકાય. હાલ જે પ્રકારે વેરિયન્ટ દેખાય છે, તે વેક્સીન પછી પણ લાગુ પડી શકે છે, આવામાં બચવા માટેનો માસ્ક શ્રેષ્ઠ ઉપાય છે.

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત, મંજૂરી વગર ગુજરાત બહાર જઈ શકશે
માસ્ક પહેરવાની આદત બનાવી રાખો

એમ્સના મેડિસિન ડિપાર્ટમેન્ટના ડૉ. નીરજ નિશ્ચલ કહે છે કે તમામ થર્ડ વેવની વાત કરી રહ્યા છે. ઉપરથી વાયરસમાં બદલાવ જોવા મળી રહ્યા છે, જેમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસની વાત થઈ રહી છે. વાયરસ પોતાને જીવીત રાખવા માટે રૂપ બદલી રહ્યો છે અને માણસ પાસે તેનાથી બચવાનો પડકાર છે. જો આવામાં વાયરસને આપણે હરાવવો હોય તો પોતાના બિહેવિઅયરમાં મ્યુટેશન ના થવા દેવો જોઈએ. આપણે માસ્ક પહેરવાની આદત બનાવી રાખવી જોઈએ.

ચાર બાબતનું સૌ કોઈએ ધ્યાન રાખવાની જરુર છે, પહેલું બીમાર હોવ તો પોતાને આઈસોલેટ કરી લો. બીજુ- માસ્ક પહેરો, ત્રીજુ- સોશિયલ ડિસ્ટન્સ બનાવેલું રાખો અને ચોથુ- કારણ વગર ભીડમાં ના જવું. ડૉક્ટર નીરજે કહ્યું કે કોરોનાનો કોઈ પણ વેરિયન્ટ આવી જાય, તે કોવિડ બિએવિઅરને બાયપાસ નથી કરી શકતો, માટે માસ્ક જરુર પહેરો.

કોરોના કાબૂમાં આવતાં રસીકરણ ફરજિયાત બનાવી ઓગસ્ટથી ફરી શરૂ કરાશે શાળા-કોલેજો?
માસ્ક રહેશે તો મ્યુટેશન પણ રોકાશે

દિલ્હી મેડિકલ કાઉન્સિલના સાયન્ટિસ્ટ કમિટીના ચેરમેન ડૉ. નરેન્દ્ર સૈની કહે છે કે જેવું મ્યુટેશન દેશમાં દેખાઈ રહ્યું છે, તેવામાં તો માસ્ક જ શ્રેષ્ઠ ઉપાય છે, જે આ મ્યુટેશનને પણ રોકવામાં મદદરુપ બની શકે છે. તેમણે કહ્યું કે વાયરસને જીવતા રહેવા માટે માણસના લિવિંગ સેલની જરુર પડે છે, જો આપણે માસ્ક લગાવી રાખીએ તો તે આપણા સુધી પહોંચી નહીં શકે, અને વાયરસ જીવતો નહીં રહી શકે. માટે જો દરેક વ્યક્તિ તેનું પાલન કરે તો વાયરસનો વિસ્તાર અને તેનું મ્યુટેશન રોકાશે.

સરકાર લોકોને માસ્કની વહેચણી કરે

દિલ્હી મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ. હરીશ ગુપ્તાએ કહ્યું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે લોકોમાં માસ્ક વહેંચે, લોકો જેટલું માસ્ક પહેરશે સંક્રમણ ફેલાવાનો ખતરો એટલો ઓછો થઈ જશે. સરકાર ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય તૈયારીઓમાં જોડાઈ છે, પરંતુ જો માસ્ક વહેંચે અને લોકોને તે પહેરવા અંગે જાગૃત કરે તો એવી સ્થિતિ જ નહીં બને કે ઓક્સિજન પ્લાન અને ઈલાજની જરુર પડે. માટે સરકાર આ દિશામાં પણ વિચારવું જોઈએ.

Read Next Story