નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધતા જ જઈ રહ્યા છે. ભારતમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડ 195 મોત નોંધાયા છે. આ ઉપરાંત કુલ પોઝિટિવ કેસની સંખ્યા પણ 46 હજારને પાર થઈ છે. સમગ્ર દેશમાં લોકડાઉન 17 મે સુધી વધારવામાં આવ્યું છે ત્યારે હવે તેલંગણા અને ગાઝિયાબાદે સ્વયંભૂ લોકડાઉનની સમયમર્યાદા વધારી છે. નોંધનીય છે કે તેલંગણામાં કોરોના વાયરસના 1085 કેસ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોતેલંગાણા-ગાઝિયાબાદમાં વધ્યું લોકડાઉનતેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે જણાવ્યુ હતું કે તેલંગણામાં લોકડાઉનની સમયમર્યાદા વધારીને 29મે કરવામાં આવી છે. કોરોના મહામારીના કારણે વધતા કેસને જોઈને રાજ્યમાં આ નિર્ણય લેવાયો છે. તેલંગણા ઉપરાંત ગાઝિયાબાદમાં પણ લોકડાઉનની સમયમર્યાદા વધારીને હવે 31 મે સુધી કરવામાં આવી છે.ગાઈડલાઈન્સમાં આ બાબતોનો સમાવેશઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના કલેક્ટર અજય શંકર પાંડેયએ જિલ્લામાં લોકડાઉન ગાઈડલાઈન્સમાં જણાવ્યું હતું કે હવે લોકડાઉનની તારીખ 31 મે સુધી વધારવામાં આવી છે. મંગળવારે કલેક્ટરે આ મામલે દિશાનિર્દેશ પણ જાહેર કર્યા છે. આ નિર્દેશ અનુસાર જિલ્લામાં 31 મે 2020 સુધી કોઈપણ રાજનૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રમતગમત સંબંધિત આયોજન નહીં થઈ શકે. આ ઉપરાંત રેલી, પ્રદર્શન અને જુલૂસ જેવા કાર્યક્રમ પર પણ પ્રતિબંધ રહેશે. સામાન્ય લોકો માટે ધાર્મિક સ્થળો પણ બંધ રાખવામાં આવશે. લગ્ન તેમજ વૈવાહિક કાર્યક્રમમાં અથવા અંતિમ સંસ્કારમાં હાજરી માટે વહીવટી તંત્ર પાસેથી અનુમતિ લેવામાં આવશે.આ પણ વાંચોઃગલ્ફમાં 10 હજારથી વધુ ભારતીયોને કોરોના, લાખો લોકોએ વતન વાપસી માટે કરાવ્યા રજિસ્ટ્રેશનજાહેર જગ્યાએ થૂંકવા પર દંડપાસ રાખનાર લોકો માટે પણ સાંજના સાતથી લઈને સવારના સાત વાગ્યા સુધી કોઈ જ પ્રકારની ગતિવિધિ પર પ્રતિબંધ છે. જોકે, આ સૂચનામાં સ્વાસ્થ્ય સંબંધીત ઈમરજન્સી કામમાં છૂટ આપવામાં આવી છે. ટૂ વ્હીલર પર એક અને ફોર વ્હીલમાં બે વ્યક્તિઓ જ બેસી શકશે. જાહેર જગ્યાએ થૂંકવા પર દંડ ફટકારવામાં આવશે અને માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હીઃ ક્વોરન્ટીન સેન્ટરમાંથી ભાગી ગયા પ્રવાસી શ્રમિકો, વીડિયો વાઈરલ