એપશહેર

ભાજપમાં જોડાવાના છે ગુલામ નબી આઝાદ? વડાપ્રધાન મોદીને 90ના દાયકાથી ઓળખે છે

એવું તો શું થયું હતું કે ગુલામ નબી આઝાદ મોદી સાથે ગુજરાતની વાત કરતા-કરતા રડી પડ્યા હતા

I am Gujarat 12 Feb 2021, 9:48 am
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પાછલા દિવસોમાં રાજ્યસભાથી નિવૃત્ત થઈ ગયા. તેમને વિદાય લેતા જોઈને વડાપ્રધાન મોદીની આંખો ભરાઈ આવી હતી. મોદીએ કહ્યું હતું ગુલામ નબી આઝાદ જેવા બીજા નેતા કોંગ્રેસને નહીં મળે. આઝાદ સાથે વિતાવેલા સમયને યાદ કરીને વડાપ્રધાન મોદી ઘણી વખત ભાવુક થયા. પછી ગુલામ નબીએ પોતાની વાત રજૂ કરી ત્યારે તેમની પણ આંખો ભરાઈ આવી હતી. પછી અટકળો શરુ થઈ કે ક્યાંક આઝાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં તો નથી જવાનાને. આ અટકળોનો જવાબ ખુદ ગુલામ નબી આઝાદે આપ્યો છે. તેમણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, એ સમયે ભાજપમાં જોડાઈ જશે જ્યારે કાશ્મીરમાં કાળો બરફ પડશે.
I am Gujarat ghulam nabi azad gave answer on the prediction of bjp join
ભાજપમાં જોડાવાના છે ગુલામ નબી આઝાદ? વડાપ્રધાન મોદીને 90ના દાયકાથી ઓળખે છે


આવી અફવા ઉડાવનારા મને નથી ઓળખતા

આઝાદે કહ્યું, "ભાજપ જ કેમ.. કાશ્મીરમાં જ્યારે કાળો બરફ પડશે ત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાઈશ. જે લોકો આવું કહે છે કે આવી અફવા ફેલાવે છે તેઓ મને ઓળખતા નથી. જ્યારે રાજમાતા સિંધિયા (વિજયા રાજે સિંધિયા) વિરોધ પક્ષના નેતા હતા, ત્યારે તેમણે ઉભા થઈને મારા પર કેટલાક આરોપ લગાવ્યા હતા. હું ઉભો થયો અને મેં કહ્યું કે હું આરોપોને બહુ જ ગંભીરતાથી લઉં છું અને સરકાર તરફથી (અટલ બિહારી) વાજપેઈની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવાની સલાહ આપીશ જેમાં તેઓ (સિંધિયા) અને (લાલ કૃષ્ણ) અડવાણી સભ્ય હશે. મે કહ્યું કે તેઓ પોતાનો રિપોર્ટ 15 દિવસમાં આપશે અને જેવા સત્તામાં આવશે, હું માની લઈશ. જેવું મે વાજપેઈજીનું નામ લીધું, તેઓ આવ્યા અને પૂછ્યું શા માટે? જ્યારે મેં તેમને કહ્યું તો તેમણે ઉભા થઈને કહ્યું- હું ગૃહની માફી માગુ છું ને ગુલામ નબી આઝાદની પણ. કદાચ રાજમાતા સિંધિયા તેમને નથી જાણતા, પરંતુ હું જાણુ છું."

સંસદમાં કેમ રડી પડ્યા મોદી અને આઝાદ?

ગુલામ નબી આઝાદ પાછલા દિવસોમાં રાજ્યસભાની અંદર પોતાની અને મોદીની ભાવુક થવાનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું, "કારણ એ પણ હતું કે 2006માં એક ગુજરાતી ટુરિસ્ટ બસ પર (કાશ્મીર માં) હુમલો થયો હતો અને હું તેમની સાથે વાત કરતા-કરતા રડી પડ્યો હતો. પીએમ કહી રહ્યા હતા યે (આઝાદ) એવા વ્યક્તિ છે જેઓ નિવૃત્ત થઈ રહ્યા છે અને ભલા માણસ છે. તેઓ આખી વાત ના કહી શક્યા કારણ કે તેઓ પડી પડ્યા હતા, અને જ્યારે વાત હું પૂરી કરવા માગતો હતો તો હું પણ નહોતો કરી શક્યો, કારણ કે મને લાગ્યું કે હું 14 વર્ષ પહેલાના એ સમયમાં પહોંચી ગયો હતો."

ટીવી ડિબેટ્સમાં સાથે જતા હતા બન્ને

આઝાદે કહ્યું કે તેઓ અને મોદી એક-બીજાને 90ના દાયકાથી જાણે છે. "અમે બન્ને મહાસચિવ હતા અને ટીવી ડિબેટ્સમાં અલગ-અલગ મંતવ્ય રજૂ કરતા હતા, અમે ડિબેટ્સમાં બહુ લડતા હતા. પરંતુ અમે જલદી પહોંચી જઈએ તો ચા પીતી વખતે વાતો કરતા હતા. પછી અમે બન્ને એકબીજાને મુખ્યમંત્રી તરીકે જોયા, વડાપ્રધાનની બેઠક અને ગૃહમંત્રીની બેઠકમાં મળતા રહ્યા. ત્યારે તેઓ મુખ્યમંત્રી હતા અને હું સ્વાસ્થ્ય મંત્રી.. અમે દર 10-15 દિવસે વાત કરતા હતા."

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો