ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સએ કોવિડ-19ના સામાન્ય લક્ષણોથી પીડાતા દર્દીઓની સારવાર માટે એન્ટીવાયરલ દવા ફેવિપિરાવિરને ફેબિફ્લૂ બ્રાન્ડ નામથી રજૂ કરી છે. કંપનીએ શનિવારે આ જાણકારી આપી. મુંબઈની કંપનીએ શુક્રવારે કહ્યું હતું તે તેને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરફથી દવાના નિર્માણ અને વેચાણની અનુમતી મળી ગઈ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:કંપનીએ કહ્યું કે ફેબિફ્લૂ કોવિડ-19ની સારવાર માટે ફેવિપિરાવિર દવા છે, જેને મંજૂરી મળી ગઈ છે. ગ્લેમાર્ક ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગ્લેન સલ્દાન્હાએ કહ્યું, આ મંજૂરી તેવા સમયે મળી છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના મામલા પહેલાની તુલનાએ વધારે ઝડપથી વધી રહ્યા છે. તેનાથી આપણી હેલ્થકેર સિસ્ટમ ખૂબ જ પ્રેશરમાં છે. તેમણે ઉમ્મીદ દર્શાવી છે કે ફેબિફ્લૂની ઉપલબ્ધતાથી તેમનું પ્રેશર ઓછું કરવામાં મદદ મળશે.સલ્દાન્હાએ કહ્યું કે, ક્લિનિકલ પરીક્ષણોમાં ફેબિફ્લૂથી કોરોના વાયરસના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓમાં સારા પરિણામ મળ્યા છે. તેમણે કહ્યું તે, ઉપરાંત આ દવા ખાવાવાળી છે જે સારવારનો વધુ એક સુવિધાજનક વિકલ્પ છે. તેમણે કહ્યું કે, કંપની સરકાર અને તબીબી સમુદાય સાથે મળીને કામ કરશે જેથી દેશભરમાં દર્દીઓને આ દવા સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય. આ દવા ડોક્ટર્સની સલાહ પર અંદાજે 100 રૂપિયા પ્રતિ ટેબલેટની કિંમતે મળશે.પહેલા દિવસે 1800MGનો ડોઝ લેવો પડશે. આ બાદ 14 દિવસ સુધી 800MGના બે ડોઝ લેવાના રહેશે. ગ્લેનમાર્ક ફાર્માએ કહ્યું કે, સામાન્ય લક્ષણોવાળા દર્દીઓ જે ડાયાબિટિક અથવા હાર્ટની બીમારીથી પીડાય છે તેઓ પણ આ દવા લઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર શનિવારે કોરોના વાયરસના 14,516 નવા કેસ દેશભરમાં સામે આવ્યા હતા. આ સાથે જ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 3,95,048 થઈ ગઈ છે. જ્યારે 12,948 લોકોના મોત થઈ ચૂક્યા છે.