એપશહેર

રામ મંદિર પર હશે સોનાથી મઢેલું મુખ્ય શિખર, ડિસેમ્બર સુધીમાં થઈ જશે તૈયાર

અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે અને તેનું અડધાથી વધુ નિર્માણ કાર્ય પણ પૂરું થઈ ગયું છે. આ મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી દેવામાં આવી છે. આ મંદિરમાં પાંચ શિખર છે તેમાંથી સૌથી મોટા અને મુખ્ય શિખર પર સોનાનું લેયર ચડાવવામાં આવશે અને તેનું કાર્ય ડિસેમ્બર સુધીમાં પૂરું થઈ જશે.

Authored byArshad Afzaal Khan | Curated byચિંતન રામી | I am Gujarat 8 Mar 2024, 6:50 pm
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. જોકે, હજી મંદિર નિર્માણનું કાર્ય સંપૂર્ણ પણે પૂરું થયું નથી. ડિસેમ્બર સુધીમાં અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય શિખર અને બીજા શિખરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. મંદિરનું મુખ્ય શિખર 161 ફૂટ ઊંચું બનાવવામાં આવી રહ્યું છે. આ શિખર પર સોનાનું લેયર ચડાવવામાં આવશે. રામ મંદિરમાં કુલ પાંચ શિખરો હશે. રામ મંદિરના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, આમાંથી ત્રણ શિખરો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા તૈયાર કરવામાં આવ્યા હતા.
I am Gujarat ram temple4
અયોધ્યામાં રામ મંદિરનું મુખ્ય શિખર 161 ફૂટ ઊંચું બનાવવામાં આવી રહ્યું છે


અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, 'પરકોટા' પણ ચોમાસા પહેલા તૈયાર થઈ જશે. તેના નિર્માણથી ભક્તોને વરસાદ અને તડકાથી રાહત મળશે. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં મંદિર નિર્માણ સમિતિની બેઠક યોજાઈ હતી અને આ વર્ષના અંત સુધીમાં રામજન્મભૂમિ સંકુલમાં તમામ બાંધકામ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરકોટાની સાથે છ દેવી અને દેવતાઓના મંદિરો બનાવવામાં આવશે અને રામજન્મભૂમિના પરિસરમાં સાત ઋષિઓના મંદિરો પણ બનાવવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, મંદિરનું નિર્માણ કરનારી કંપની L&T કામદારોની ફોજ ઉતારશે. હાલમાં રાજસ્થાન, ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશના 1,500 કામદારો બાંધકામના કામમાં રોકાયેલા છે. ટૂંક સમયમાં 3,500થી વધુ કામદારો પણ આ કાર્યમાં જોડાશે. વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર અને અગસ્ત્ય સહિત નિષાદરાજ અને અહિલ્યા સહિત હિન્દુ સંતોના મંદિરો પણ બાંધવામાં આવશે. ગર્ભગૃહ રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. જ્યારે ભગવાન શ્રીરામનો દરબાર પહેલા માળે સ્થાપિત કરવામાં આવશે અને રામ લલ્લાના દર્શન કર્યા બાદ ભક્તો સીડીઓ પર ચઢીને રામના દરબારના દર્શન કરી શકશે.

અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટ નીતીશ કુમારે જણાવ્યું હતું કે, રામજન્મભૂમિ સંકુલના પશ્ચિમ છેડે આવેલા ટેઢી બજારથી અશરફી ભવન અને વિભીષણ કુંડ થઈને પોસ્ટ ઓફિસ સુધીના રસ્તાને 15 મીટર પહોળો કરવામાં આવશે. રસ્તાઓની માપણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે.

રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદથી લઈને અત્યાર સુધીમાં 75 લાખથી વધુ ભક્તો રામલલાના દર્શન માટે આવી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાનીમાં શાસ્ત્રોક્ત વિધીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશની જાણીતી હસ્તીઓ અને સાધુ-સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Read Next Story