એપશહેર

Good News: ભારતમાં કોરોના ફેલાવાની ઝડપમાં માતબર 50%નો ઘટોડો નોંધાયો

સોમવારે દેશમાં કોરોના સંક્રમણના 44,913 જ નવા કેસ નોંધાયા છે. જે 21 જુલાઈ બાદ અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે.

Authored byAmit Bhattacharya | TNN 20 Oct 2020, 8:39 am
સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે એક સારા સમાચાર છે. છેલ્લા 30 દિવસમાં કોવિડ -19 દેશમાં તેના સર્વોચ્ચ શીખરે પહોંચ્યા બાદ સંક્રમણના ફેલવાના દર અડધાથી વધુ ઘટાડો નોંધાયો છે. ડેટા દર્શાવે છે કે જ્યારે તે સપ્ટેમ્બરની શરુઆતમાં 92% હતો, તે પછી તે સતત ઘટીને 42% થઈ ગયો. આમ ટોટલ 50% ના ઘટાડા સાથે મહામારી સામે જીતવાની આશા વધી ગઈ છે.
I am Gujarat good news for india as slowdown in new corona infection by 50 percent
Good News: ભારતમાં કોરોના ફેલાવાની ઝડપમાં માતબર 50%નો ઘટોડો નોંધાયો


સૌથી ખરાબ પ્રભાવિત વિસ્તારોમાંથી ગુડ ન્યુઝ

આ ઘટાડો દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘટી રહેલા આંકડા અને ઘણા રાજ્યોમાં જોવા મળેલી કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારણાને કારણે છે. સૌથી મોટી અસર છત્તીસગઢમાં જોવા મળી છે જ્યાં કોરોનાના નવા કેસમાં 291% ઘટાડો નોંધાયો છે. ગત મહિને અહીં કોરોનાનો વિકાસ દર 97% હતો જોકે આ પહેલા પણ તે 18 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બરની વચ્ચે 388% નીચે ગયો હતો.

બીજા રાજ્યોની સ્થિતિ

બીજી બાજુ, પંજાબમાં 132%, ઓડિશામાં -109%, ઉત્તર પ્રદેશમાં -78% અને હરિયાણામાં, -76% નો ઘટાડો થયો છે. દેશમાં કોરોનાથી પ્રભાવિત સૌથી ખરાબ સ્થિતિ ધરાવતા ચાર રાજ્યો પૈકી આંધ્રપ્રદેશમાં સૌથી મોટો -70% ઘટાડો નોંધાયો છે. ત્યાર પછી કર્ણાટક(-56pp) અને મહારાષ્ટ્ર(-53pp) રાષ્ટ્રીય સરેરાશથી ઉપર છે.

તેવી રીતે તામિલનાડુમાં -22ppનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ફક્ત કેરળમાં વૃદ્ધિ દરમાં તેજી જોવા મળી હતી જ્યારે દિલ્હીમાં પણ -16ppનો ઘટાડો જોવા મળ્યો હતો. રાજસ્થાનમાં -18pp અને બિહાર -27ppનો ઘટાડો નોંધાયો છે. આ આંકડાઓ માટેનો 18 સપ્ટેમ્બરની તારીખને કટઓફ તારીખ ગણવામાં આવી છે. કારણ કે તેના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ સિંગલ ડે કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં વિકેંડ ઇફેક્ટ?

તો સોમવારે દેશમાં કોરોનાના કુલ 44,913 નવા કેસો જોવા મળ્યા હતા. જે 21 જુલાઈથી અત્યાર સુધી એક દિવસમાં કોરોના કેસમાં થનારો સૌથી ઓછો વધારો છે. તો સોમવારે મહારાષ્ટ્રમાં ફક્ત 5,984 કેસ જોવા મળ્યા હતા. જે છેલ્લા 104 દિવસમાં સૌથી ઓછા છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સપ્તાહના અંતે સ્ટાફની અછતને કારણે ઓછા પરીક્ષણને કારણે સોમવારે નીચા આંકડા નોંધાય છે. મુંબઈમાં 1,234 કેસ નોંધાયા હતા, જે 48 દિવસમાં સૌથી ઓછા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો