એપશહેર

દેશના કોરોના કેપિટલ બનેલા મુંબઈથી આવ્યા રાહતના મોટા સમાચાર

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા હવે 7 લાખથી વધી ગઈ છે. તો, મુંબઈમાં મંગળવારે છેલ્લા 105 દિવસ કરતા ઓછા કેસ નોંધાયા. મુંબઈમાં મંગળવારે 587 કેસ નોંધાયા હતા.

TNN 26 Aug 2020, 4:35 pm
ભાવિકા જૈન, મુંબઈ: મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના કેસો આંકડો 7 લાખ કરતા વધી ગઈ છે. જોકે, દેશના કોરોના કેપિટલ બનેલા મુંબઈ માટે રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈમાં છેલ્લા 105 દિવસની સરખામણીએ સૌથી ઓછા માત્ર 587 કેસ નોંધાયા છે. તેના એક દિવસ પહેલા જ મુંબઈમાં 105 દિવસના સૌથી ઓછો મૃત્યુઆંક (20ના મોત) નોંધાયો હતો. મુંબઈમાં 12 મેએ 436 કેસ નોંધાયા હતા.
I am Gujarat Corona in Mumbai


મહારાષ્ટ્રમાં મંગળવારે 10,425 કેસ નોંધાયા હતા, જેમાં મુંબઈના 5.6 ટકા કેસ હતા. તે સાથે મુંબઈમાં કોરોનાના કેસોની સંખ્યા 1,37,683એ પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ કેસોનો આંકડો 7,03,823એ પહોંચ્યો છે. મુંબઈમાં હાલ 17,938 એક્ટિવ કેસ છે, જ્યારે આખા મહારાષ્ટ્રમાં 1,65,921 એક્ટિવ કેસ છે.

મુંબઈમાં કોરોનાના ઘટેલા કેસો અંગે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના પ્રમુખ આઈએસ ચહલે અમારા સહયોગી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 'કોઈ અંદાજ પર પહોંચતા પહેલા આપણે રાહ જોવી જોઈએ. આપણે ખુશ થઈ જઈને આપણી સુરક્ષાને ઘટાડવી ન જોઈએ.'

મહારાષ્ટ્રમાં કોરોનાના દરરોજ 10 હજાર કરતા વધુ કેસો નોંધાઈ રહ્યા છે અને છેલ્લા 8 દિવસમાં જ 1 લાખ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 17 ઓગસ્ટે કોરોનાના કેસોનો આંકડો 6 લાખને પાર કરી ગયો હતો.

માર્ચથી લઈને અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના 7 લાખ કેસોમાંથી 2,82,144 કેસ તો માત્ર ઓગસ્ટ મહિનામાં જ નોંધાયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, પુને, આકોલા અને નાગપુર સર્કરમાં વધારે સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં 7 લાખથી વધુ કોરોનાના કેસો નોંધાવાની સાથે તે સાઉથ આફ્રિકાથી આગળ નીકળી ગયું છે. જ્યાં 6.11 લાખ કેસ નોંધાયા છે. સાઉથ આફ્રિકા કોરોનાના કેસોના મામલે વિશ્વમા 5મા નંબરે છે.

મહારાષ્ટ્ર અને મુંબઈમાં મૃત્યૃના આંકડા ઘટ્યાના એક દિવસ બાદ મંગળવારે 300થી વધુ લોકોના મોત થયા છે. રાજ્યમાં મંગળવારે 329 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી મૃત્યુનો કુલ આંકડો 22,794એ પહોંચી ગયો છે. મુંબઈમાં મંગળવારે 35 લોકોના મોત થયા હતા. મુંબઈમાં મંગળવારે 329 લોકોના મોતનો જે આકડો આવ્યો છે, તેમાંથી 241ના મોત છેલ્લા 48 કલાકમાં થયા છે, જ્યારે 44 ગત સપ્તાહના અન 44 તે પહેલાના હોવાનુ અધિકારીઓએ જણાવ્યું હતું.

દરમિયાનમાં મુંબઈ મેટ્રોપલિટન રિજનમાં કોરોના કેસોમાં રિકવરી જોવા મળી છે. મુંબ્રા વોર્ડમાં મંગળવારે એક પણ કેસ નોંધાયો નથી. એક સમયે હોટસ્પોટ રહેલા આ વિસ્તારમાં એક મહિનામાં ત્રીજી વખત એવું બન્યું છે કે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હોય. આ ઉપરાંત ઉલ્લાસનગરમાં રિકવરી રેટ 93.2 ટકા છે. જ્યારે અંબરનાથ અને બાદલપુરમાં 90 ટકાથી વધારે. કલ્યાણ-ડોંબિવલીમાં પણ રિકવરી રેટ 86 ટકાથી વધારે રહ્યો હતો.

એવું બીજી વખત બન્યું છે કે, જ્યારે રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા કેસો કરતા રિકવર થનારા લોકોની સંખ્યા વધુ હોય. મંગળવારે રાજ્યમાં 12,300 લોકો સાજા થઈ ઘરે ગયા અને તે સાથે રાજ્યમાં રિકવર થનારા લોકોની સંખ્યા 5.14 લાખે પહોંચી છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 73.1 ટકા છે. ઉલ્લેખની છે કે, સમગ્ર દેશનો રિકવરી રેટ 75 ટકા છે.

(પ્રદીપ ગુપ્તા અને મનોજ બડગેરીના ઈનપુટ સાથે)

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો