એપશહેર

હવે 300 કરતા ઓછા કર્મચારીઓવાળી કંપની સરકારની મંજૂરી વિના છટણી કરી શકશે

અત્યાર સુધી 100 કરતા ઓછા કર્મચારીઓવાળી કંપનીઓ જ સરકારની મંજૂરી વિના છટણી કરી શકતી હતી.

I am Gujarat 20 Sep 2020, 4:09 pm
નવી દિલ્હી: સરકાર ભરતી અને છટણીના મુદ્દે કંપનીઓને વધારે અધિકાર આપશે. અત્યાર સુધી એવું હતું કે 100 કરતા ઓછા કર્મચારીઓવાળી કંપનીઓને છટણી કરવા અથવા યૂનિટ બંધ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી પડતી નહોતી. શ્રમ મંત્રાલયે હવે આ સીમા વધારીને 300 કર્મચારીઓની કરી દીધી છે. જેનો મતલબ એવો થાય છે કે જે કંપનીઓમાં 300 સુધી કર્મચારીઓ છે તેમણે સ્ટાફની ભરતી અને છટણી માટે પરવાનગી લેવાની કોઈ જરૂર નથી. હવે મોટી કંપનીઓ માટે કર્મચારીઓની છટણી અને પેઢી બંધ કરવાનું સરળ થશે. આ સિવાય શ્રમ મંત્રાલયે રાજ્ય સરકારને પોતાની જરૂરિયાત મુજબ તેમાં વધારો કરવા માટેની સત્તા સોંપી છે.
I am Gujarat q1


સાથે જ સરકારે યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટી ઉપલબ્ધ કરાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. ઔદ્યોગિક સંબંધ સંહિતા-2020 બિલ શનિવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ. જે અંતર્ગત હવે 300થી ઓછા કર્મચારીઓવાળી કંપની સરકાર પાસેથી મંજૂરી લીધા વિના કર્મચારીઓની ઈચ્છે ત્યારે છટણી કરી શકશે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના વિરોધ વચ્ચે આ બિલ રજૂ કરતા ગંગવારે કહ્યું કે આ બિલથી દેશમાં શ્રમ સુધારાનો રસ્તો ખુલશે.

અહીં નોંધનીય છે કે અત્યાર સુધી 100 કરતા ઓછા કર્મચારીઓવાળી કંપનીઓ જ સરકારની મંજૂરી વિના છટણી કરી શકતી હતી. નવા લેબર કોડમાં સરકારે એક સેક્શન જોડ્યું છે. જેમાં તે કંપનીઓને છટણી કરવા અને પેઢી બંધ કરવા માટેની અનુમતિ મળશે કે જે કંપની પાસે વાર્ષિક સરેરાશ દરરોજ ઓછામાં ઓછા 300 કર્મચારી હોય. આ કાયદો રાજ્ય સરકારોને ભરતી, નિયુક્તિ અને ફેક્ટરી તથા સંસ્થાઓમાં કામ કરવા માટેના કલાકો નક્કી કરવાની આઝાદી આપશે. આ સિવાય સરકારને તમામ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં મદદ મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો