એપશહેર

વરરાજાએ લગ્નમાં મિત્રોને ન પીવડાવ્યો દારૂ તો કરી નાખી હત્યા

વરરાજાએ દારૂ ન પીવડાવતા નારાજ દોસ્તોએ છરાના ઘા ઝીંકીને કરી નાખી હત્યા, થોડા કલાક પહેલા જ થયા હતા લગ્ન

I am Gujarat 16 Dec 2020, 6:37 pm
અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના પાલીમુકીમપુર વિસ્તારમાં લગ્નના કેટલાક કલાકો બાદ વરરાજાના મિત્રોએ તેની હત્યા કરી દીધી. વરરાજાની હત્યા ફક્ત એટલા માટે કરવામાં આવી હતી કે તે તેના માટે દારૂની વ્યવસ્થા કરવામાં અસમર્થ હતો. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
I am Gujarat 4
પ્રતિકાત્મક તસવીર


દારૂની વ્યવસ્થા ન કરી તો મોતને ઘાટ ઉતાર્યો
પોલીસે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે પાલીમુકીમપુર ગામમાં વરરાજા બબલુ (ઉંમર- 28 વર્ષ)ના લગ્નમાં દારૂની વ્યવસ્થા ન કરવા અંગે મિત્રો સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો અને અંતે મિત્રોએ છરાથી હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં થોડા કલાકો પછી તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: જાન રવાના થતાં પહેલા જ ગુમ થયો વરરાજા, પુલ નીચેથી મળી આવ્યો મૃતદેહ

ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે
પોલીસ અધિકારી નરેશસિંહે બુધવારે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી નરેશ સિંહની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય પાંચ આરોપી ફરાર છે. તેમણે જણાવ્યું હતું કે, આ કેસની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ફરાર થયેલા આરોપીની ધરપકડ કરવામાં આવશે.

એક અઠવાડિયા પહેલા પણ કંઈક આવું જ થયું હતું
ઉત્તર પ્રદેશના કાનપુરમાં અઠવાડિયા પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં જાન રવાના થવાના થોડા કલાકો પહેલાં વરરાજા રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. વરરાજાના મિત્રો અને સંબંધીઓ જાન માટેની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે વરરાજા ઘરેથી ગુમ છે. પરિવાર અને સબંધીઓ આખી રાત વરરાજાની શોધ કરતા રહ્યા પરંતુ તેના વિશે કોઈ જાણકારી મળી નહોતી. જો કે, બીજા દિવસે વરરાજાનો મૃતદેહ ગંગાપુલ નીચેથી મળી આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો