મીરઝાપુરઃ યુપીના મીરઝાપુર જિલ્લામાં સોમવારે ભત્રીજાના લગ્નમાં લોકડાઉનના નિયમો અનુસાર સીમિત સંખ્યામાં વ્યક્તિઓને લઈ જવાના કારણે મનઃદુખ થઈ ગયું અને કાકાએ પોતાનો જ હાથ કાપી નાખ્યો હતો. એક તરફ ભત્રીજાની જાન નીકળવાની હતી તો બીજી બાજુ કાકા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતાં. કાકાની દશા જોઈને ભત્રીજાએ જાન લઈને જવાની મનાઈ ફરમાવી હતી. આખરે સમાધાન અને મનાવ્યા પછી જ જાન વિદાય થઈ હતી. હાલ કાકાની સારવાર ચાલી રહી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોકાકાએ કાપ્યો પોતાનો હાથમીરઝાપુર જિલ્લાના અહરૌરાડીહમાં પોતાના ભત્રીજાની જાનમાં ન લઈ જવાના કારણે કાકા એટલી હદે નારાજ થઈ ગયા કે ધારદાર હથિયારને પોતાના હાથ પર મારીને પોતાને જ ઈજા પહોંચાડી હતી. કાકા લોહીલુહાણ હાલતમાં હોવાના કારણે લગ્નનો ઉત્સાહ થોડીવાર સાવ ઠંડો પડી ગયો હતો. કાકાની દશા જોઈને વરરાજો ઓમપ્રકાશ પણ લગ્નમાં જવા માટે તૈયાર નહોતો. જોકે, પરિવારજનોએ કોઈ રીતે તેને સમજાવ્યો અને લગ્ન માટે મોકલ્યો હતો.કાકાએ જાનમાં જવાની પકડી જીદસમગ્ર ઘટના એવી હતી કે, જિલ્લાના અહરૌરાડીહના ઓમપ્રકાશની જાન ચંદૌલી જિલ્લા માટે જવાની તૈયારીમાં જ હતી. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના કારણે વર અને કન્યા પક્ષના લોકોએ નક્કી કર્યું કે પાંચ લોકો જ જાનૈયા તરીકે જશે. આ શરત પર જ જાનની તૈયારી ચાલી રહી હતી. આ દરમિયાન વરરાજાના કાકા પણ જાનૈયા બનીને જવાની જીદ કરવા લાગ્યા.રિસાઈ ગયા કાકા અને…..લોકડાઉનના કારણે પાંચ લોકો જ જવાના છે તેવી વાત તેમને જણાવવામાં આવી તો ખોટું લાગી ગયું. જાનમાં પોતાને નહીં જવા મળે આ વાતનું એટલું ખોટું લાગ્યું કે, ધારદાર હથિયારથી પોતાનો હાથ કાપ્યો હતો. પરિવારજનોએ પ્રાઈવેટ દવાખાનામાં તેમની સારવાર કરાવી હતી. જોકે, હાલ તો કાકાને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેઓ ઘરે સારવાર લઈ રહ્યાં છે.