એપશહેર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા હંસરાજ ભારદ્વાજનું નિધન, રાહુલ ગાંધીને નહોતા માનતા લીડર

Shailesh Thakkar | I am Gujarat 8 Mar 2020, 10:18 pm
નવી દિલ્હી: કર્ણાટક અને કેરળના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કાયદા મંત્રી હંસરાજ ભારદ્વાજનું નિધન થઈ ગયું છે. તે 82 વર્ષના હતા. હંસરાજ ભારદ્વાજ 2009થી 2014 સુધી કર્ણાટકના ગવર્નર હતા. ભારદ્વાજ કોંગ્રેસના તે નેતાઓમાં રહ્યાં છે જેઓ ખુલીને રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠાવતા રહ્યાં.ભારદ્વાજે સાકેતની મેક્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તે બુધવારથી ત્યાં એડમિટ હતા. તેમને કિડની સંબંધિત સમસ્યા હતા. હંસરાજ ભારદ્વાજના પુત્ર અરુણ ભારદ્વાજે જણાવ્યું કે, સાંજે 4 વાગ્યે દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારદ્વાજ 2009થી 2014 સુધી કર્ણાટક, 2012થી 2013 સુધી કેરળના ગવર્નર રહ્યાં.રાહુલ વિરુદ્ધ ખુલીને બોલતા હતા2018માં હંસરાજે કહ્યું હતું કે, ‘હું રાહુલ ગાંધીને એક નેતાના રૂપમાં સ્વીકાર નથી કરતો. તે આ વાતને ત્યારે જ સમજશે જ્યારે તે કોઈ પદ પ્રાપ્ત કરશે.’ આના પહેલા એપ્રિલ 2016માં હંસરાજે રાહુલ ગાંધી કોંગ્રેસ ઉપાધ્યક્ષ હતા ત્યારે કહ્યું હતું કે, તેમને હજુ શીખવાની જરૂર છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પર ભારદ્વાજે કહ્યું હતું કે, ભાજપની તુલનામાં કોંગ્રેસ ખૂબ નબળી સાબિત થઈ. કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગ્રાઉન્ડ રિપોર્ટથી પૂર્ણ રીતે અજાણ હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો